તેમણે આગળ કહ્યું કે જે લોકો ગેરકાયદેસર રીતે રેલીઓ કાઢીને શહેરમાં શાંતિ ભંગ કરવા માગે છે, તેમને દર 15 ગિનસમાં એક એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે અને આનો લોકોના જીવન પર કોઈ પ્રભાવ નથી પડતો.
પ્રતીકાત્મક તસવીર
કેટલાક મીડિયા રિપૉર્ટ્સના (Media Reports) હવાલે કહેવામાં આવી રહ્યું હતું કે મુંબઈમાં (Mumbai) ધારા 144 લાગુ (Section 144) પાડવામાં આવી છે. આ હેઠળ આખા મુંબઈમાં (Mumbai) અનેક પ્રકારના પ્રતિબંધ પણ લાગુ પાડવામાં આવ્યા છે. પણ હવે પોલીસે (Mumbai Police) આને અફવા (Rumour) ગણાવી છે. પોલીસ અધિકારી (Police Officer) વિશ્વાસ નાંગરે પાટિલે (Vishwash Nangre Patil) કહ્યું કે અફવા છે કે મુંબઈમાં સીઆરપીસીની કલમ 144 (CRPC 144) લાગુ છે. આ અયોગ્ય છે અને લોકોમાં ભ્રમ પેદા થઈ રહ્યો છે.
તેમણે આગળ કહ્યું કે જે લોકો ગેરકાયદેસર રીતે રેલીઓ કાઢીને શહેરમાં શાંતિ ભંગ કરવા માગે છે, તેમને દર 15 ગિનસમાં એક એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે અને આનો લોકોના જીવન પર કોઈ પ્રભાવ નથી પડતો. આગળ કહ્યું કે હું બધાને અપીલ કરું છું કે આની ખોટી અફવાઓ (શહેરમાં કલમ 144 લાગુ પાડવા વિશે) પર વિશ્વાસ ન કરવો અને ભ્રમ ન ફેલાવવો.
ADVERTISEMENT
જણાવવાનું કે 15 ઑક્ટોબરે પણ મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ હેઠળ ગેરકાયદેસર વિધાનસભાના નિયમિત આદેશનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેની એક કૉપી લીક થઈ ગઈ હતી અને આ પ્રકારનો ભ્રમ ફેલાયો.
આ પણ વાંચો : દિલ્હીમાં વધુ એક લિવ-ઈન પાર્ટનરની હત્યા, આરોપીની ધરપકડ
નોંધનીય છે કે શુક્રવારે શરૂઆતમાં અનેક રિપૉર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ પોલીસે શહેરમાં શાંતિ જાળવવા માટે અને સાર્વજનિક વ્યવસ્થામાં કોઈપણ પ્રકારના વ્યવધાનથી બચવા માટે `કર્ફ્યૂ` લાગુ પાડ્યો છે.