Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પીએમ મોદી મહારાષ્ટ્રમાંઃ રાજ્યને આપશે ૭૬ હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ

પીએમ મોદી મહારાષ્ટ્રમાંઃ રાજ્યને આપશે ૭૬ હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ

29 August, 2024 09:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

PM Modi In Maharashtra: વડા પ્રધાન લગભગ ૧,૫૬૦ કરોડ રૂપિયાની ૨૧૮ મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર


વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે એટલે કે આવતી કાલે ૩૦ ઑગસ્ટે મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)માં આશરે ૭૬,૦૦૦ કરોડ રુપિયાના વાધવન પોર્ટ (Vadhvan Port) પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને આશરે ૧,૫૬૦ કરોડ રુપિયાના મૂલ્યની ૨૧૮ મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ગુરુવારે એટલે કે આજે ૨૯ ઓગસ્ટે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.


શુક્રવારે વડાપ્રધાન મોદીનું મહારાષ્ટ્ર (PM Modi In Maharashtra)માં આગમન થશે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (Prime Minister Office - PMO)એ કહ્યું કે વડા પ્રધાન મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર (Jio World Convention Center) ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ - જીએફએફ (Global Fintech Fest - GFF) ૨૦૨૪ને સંબોધિત કરશે. આ પછી, તેઓ લગભગ બપોરે ૧.૩૦ વાગ્યે પાલઘરના સિડકો ગ્રાઉન્ડ (CIDCO Ground)માં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાંથી મુખ્ય છે વાધવન પોર્ટનો શિલાન્યાસ. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે ૭૬,૦૦૦ કરોડ રૂપિયા છે.



પીએમઓએ કહ્યું કે તેનો ઉદ્દેશ્ય વિશ્વ સ્તરીય દરિયાઈ પ્રવેશદ્વાર સ્થાપિત કરવાનો છે જે દેશના વેપાર અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. પાલઘર જિલ્લામાં દહાણુ શહેરની નજીક સ્થિત વાધવન બંદર, ભારતના સૌથી મોટા ઊંડા પાણીના બંદરોમાંનું એક હશે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહન માટે સીધું જોડાણ પૂરું પાડશે, સમયની બચત કરશે અને ખર્ચમાં પણ ઘટાડો કરશે. આ પોર્ટ અત્યાધુનિક ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે અને ત્યાંની મેનેજમેન્ટ સિસ્ટમ પણ આધુનિક હશે.


વધુમાં પીએમઓએ જણાવ્યું હતું કે બંદર નોંધપાત્ર રોજગારીની તકો પેદા કરશે, સ્થાનિક વ્યવસાયોને વેગ આપશે અને પ્રદેશના એકંદર આર્થિક વિકાસમાં મદદ કરશે. વાધવન પોર્ટ પ્રોજેક્ટ પર્યાવરણીય પ્રભાવને ઘટાડવા અને કડક ઇકોલોજીકલ ધોરણોનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ટકાઉ વિકાસ પદ્ધતિઓનો સમાવેશ કરે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એકવાર કાર્યરત થયા પછી, આ બંદર ભારતની દરિયાઈ જોડાણને વધારશે અને વૈશ્વિક વેપાર હબ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરશે. આ પછી, વડા પ્રધાન લગભગ ૧,૫૬૦ કરોડ રૂપિયાની ૨૧૮ મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પીએમઓએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ અને ઉત્પાદકતાને વેગ આપવાનો હેતુ છે અને આ પહેલોથી મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં પાંચ લાખથી વધુ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.


વડાપ્રધાન અંદાજે ૩૬૦ કરોડ રુપિયાના ખર્ચે માછીમારીના જહાજો માટે કોમ્યુનિકેશન સપોર્ટ સિસ્ટમ પણ લોન્ચ કરશે. પીએમઓએ કહ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ તબક્કાવાર રીતે ૧૩ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિકેનાઇઝ્ડ અને મોટરાઇઝ્ડ ફિશિંગ બોટ પર એક લાખ ટ્રાન્સપોન્ડર સ્થાપિત કરવામાં આવશે.

આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૪ના વિશેષ સત્રને સંબોધિત કરશે. તેનું આયોજન પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2024 09:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK