Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં ૨૬ ટકા જ પાણી

મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં ૨૬ ટકા જ પાણી

30 April, 2023 12:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો વરસાદ સમયસર પડ્યો તો સારી વાત છે, પણ જો ન પડ્યો તો મુંબઈગરાઓના માથે પાણીકાપનો ભય તોળાઈ રહ્યો છે. મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં હાલ માત્ર ૨૬ ટકા જ પાણી બચ્યું છે.

મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં ૨૬ ટકા જ પાણી

મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં ૨૬ ટકા જ પાણી


મુંબઈ : જો વરસાદ સમયસર પડ્યો તો સારી વાત છે, પણ જો ન પડ્યો તો મુંબઈગરાઓના માથે પાણીકાપનો ભય તોળાઈ રહ્યો છે. મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં હાલ માત્ર ૨૬ ટકા જ પાણી બચ્યું છે. એથી જો વરસાદ થોડોઘણો પણ લંબાઈ ગયો તો પાણીકાપ ભોગવવા માટે મુંબઈગરાએ તૈયારી રાખવી પડશે.
મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં વિહાર, તુલસી, તાનસા, ભાત્સા, મોડકસાગર, અપર વૈતરણા અને મિડલ વૈતરણાનો સમાવેશ થાય છે. આ જળાશયોમાં હવે ૨૬ ટકા જેટલું પાણી જ બચ્યું છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન એ ૩૦ ટકા જેટલું હતું. એથી બીએમસીએ હવે રાજ્ય સરકારને પત્ર લખીને આ વિશે જાણ કરી છે અને કહ્યું છે કે એને વધારાનો પાણીનો જથ્થો આપવામાં આવે તથા વધારાના સ્રોતમાંથી પણ પાણી પૂરું પાડવામાં આવે. એ પત્ર રાજ્ય સરકારને આપી દેવાયો છે અને રાજ્ય સરકાર એના પર ટૂંક સમયમાં નિર્ણય લેશે. 


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2023 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK