Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે આ રસ્તા દ્વારા માત્ર 5 કલાકમાં પહોંચી શકાશે મુંબઈથી શિરડી

હવે આ રસ્તા દ્વારા માત્ર 5 કલાકમાં પહોંચી શકાશે મુંબઈથી શિરડી

Published : 05 March, 2024 12:38 PM | Modified : 05 March, 2024 05:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Shirdi From Mumbai :ઈગતપુરી સુધી સમૃદ્ધિ મહામાર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ હાઈવે દ્વારા હવે મુંબઈથી નાસિક કે શિરડી વચ્ચેનું અંતર ટુંક સમયમાં જ કવર કરી શકાશે.

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


કી હાઇલાઇટ્સ

  1. ઈગતપુરી સુધી સમૃદ્ધિ મહામાર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે
  2. હવે મુંબઈથી નાસિક કે શિરડી વચ્ચેનું અંતર ટૂંકુ થશે
  3. ભરવીર અને ઇંગતપુરી વચ્ચે 25 કિલોમીટરનો પટ બાંધવામાં આવશે

Shirdi From Mumbai : ઈગતપુરી સુધી સમૃદ્ધિ મહામાર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ હાઈવે દ્વારા હવે મુંબઈથી નાસિક કે શિરડી વચ્ચેનું અંતર ટુંક સમયમાં જ કવર કરી શકાશે. સમૃદ્ધિ મહામાર્ગનો ત્રીજો તબક્કો સોમવારથી વાહનો માટે ખોલવામાં આવ્યો હતો. જેના કારણે સામાન્ય નાગરિકો તેમજ વાહન ચાલકોની મુસાફરી સરળ બની છે. ત્રીજા તબક્કાના ઉદઘાટન બાદ સમૃદ્ધિ મહામાર્ગ ઈંગતપુરી પહોંચી ગયો છે. હાઈવે દ્વારા ઈંગતપુરીથી માત્ર દોઢથી બે કલાકમાં શિરડી પહોંચી શકાય છે. પહેલા લોકો શિરડી પહોંચવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરતા હતા. ઈંગતપુરીથી શિરડી પહોંચવામાં વાહનોને અઢીથી ત્રણ કલાક લાગે છે. તે જ સમયે, મુંબઈથી શિરડી પહોંચવામાં લગભગ 7 થી 8 કલાકનો સમય લાગતો હતો. સમૃદ્ધિ મહામાર્ગનું નિર્માણ કાર્ય વિવિધ તબક્કામાં પૂર્ણ થઈ રહ્યું છે અને મુંબઈની નજીક પહોંચી ગયું છે. આ સાથે આ યાત્રા લગભગ 5 કલાકમાં પૂર્ણ થશે.


સમૃદ્ધિ મહામાર્ગના ત્રીજા તબક્કા હેઠળ સોમવારે ભરવીર અને ઇંગતપુરી વચ્ચે 25 કિલોમીટરનો પટ બાંધવામાં આવ્યો હતો, તેને વાહનો માટે માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. મુંબઈથી નાગપુરનું અંતર 701 કિલોમીટર ઓછું કરવું માટે લાંબો હાઇવે બનાવવામાં આવી રહ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં 625 કિ.મી. વાહનો માટે માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. આ વર્ષના અંત સુધીમાં આ માર્ગ સંપૂર્ણ રીતે વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે.



મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઇચ્છતું હતું કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં જ ત્રીજા તબક્કાનું ઉદ્ઘાટન કરે, પરંતુ પીએમને સમય ન મળ્યો, જેના પછી રાજ્ય સરકારે ત્રીજા તબક્કા હેઠળ તૈયાર કરેલા 25 કિલોમીટરના માર્ગને ખોલવાનો નિર્ણય કર્યો. આ રોડ ખુલ્લો થતાં, સમૃદ્ધિ મહામાર્ગ થઈને જૂના હાઈવેનું અંતર ઘટીને માત્ર 200 મીટર થઈ ગયું છે. યાત્રીઓ ઇગતપુરીના જૂના હાઇવેથી સમૃદ્ધિ મહામાર્ગ સુધી સરળતાથી પહોંચી શકશે.


આ રીતે હાઇવે તબક્કાવાર ખુલ્યો

મુંબઈ અને નાગપુર વચ્ચે 701 કિલોમીટર લાંબો હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. નાગપુર અને શિરડી વચ્ચેનો 520 કિમીનો હાઇવે 11 ડિસેમ્બર 2022ના રોજ ખોલવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં શિરડીથી ભરવીર વચ્ચેનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ અંતર 80 કિમી છે. હવે આ ત્રીજો તબક્કો છે, જે અંતર્ગત ભરવીરથી ઇગતપુરી વચ્ચેનો 25 કિલોમીટરનો માર્ગ ખોલવામાં આવ્યો છે. આ સમગ્ર હાઇવે 2024ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.


 

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2024 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK