Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ આમરેને નોટિસ : ગેરકાયદે બાંધકામનો અને નદીમાંથી રેતી કાઢવાનો આરોપ

ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ આમરેને નોટિસ : ગેરકાયદે બાંધકામનો અને નદીમાંથી રેતી કાઢવાનો આરોપ

Published : 24 August, 2024 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંદર દિવસમાં આ નોટિસનો જવાબ આપવાનું ૧૯૯૧થી ૧૯૯૯માં ભારતીય ક્રિકેટ ટીમમાં રમનારા પ્રવીણ આમરેને કહેવામાં આવ્યું છે.

પ્રવીણ આમરે

પ્રવીણ આમરે


ભારતીય ક્રિકેટ ટીમના અને મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ આમરેને રત્નાગિરિના તહસીલદારે નદીમાંથી ગેરકાયદે રેતી કાઢવા માટે નોટિસ મોકલીને તેની પાસેથી ૧૨.૬૫ લાખ રૂપિયા શા માટે વસૂલ કરવામાં ન આવે એવો સવાલ પૂછ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પંદર દિવસમાં આ નોટિસનો જવાબ આપવાનું ૧૯૯૧થી ૧૯૯૯માં ભારતીય ક્રિકેટ ટીમમાં રમનારા પ્રવીણ આમરેને કહેવામાં આવ્યું છે. રત્ના‌ગિરિ તાલુકાના જયગડ પાસેની રીળ ગ્રામપંચાયતની હદમાં પ્રવીણ આમરેએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવા ઉપરાંત આ બાંધકામ માટે વાપરવામાં આવેલી રેતી પણ નદીમાંથી ગેરકાયદે કાઢવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રવીણ આમરે ૧૧ ટેસ્ટ અને ૩૭ વન-ડે રમ્યો હતો. ૧૯૯૧માં સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડેમાં પ્રવીણ આમરેએ સેન્ચુરી ફટકારી હતી. સચિન તેન્ડુલકરના કોચ રમાકાંત આચરેકર પાસે જ પ્રવીણ આમરેએ ક્રિકેટનું કોચિંગ લીધું હતું. રમાકાંત આચરેકરે એક સમયે કહ્યું હતું કે પ્રવીણ આમરે સચિન તેન્ડુલકર કરતાં પણ સારો બૅટ્સમૅન બનશે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2024 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK