સી. પી. ટેન્કસ્થિત માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ‘મા વિશ્વેશ્વરી સેવા સમિતિ ટ્રસ્ટ’ દ્વારા દરરોજ નવકુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે.
અવસર
હવન માટે વાપરવામાં આવેલી તસવીર
સી. પી. ટેન્કસ્થિત માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ‘મા વિશ્વેશ્વરી સેવા સમિતિ ટ્રસ્ટ’ દ્વારા દરરોજ નવકુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઠાકોરજીની સન્મુખ અને માતાજીના સાંનિધ્યમાં રામનવમી, ૧૭ એપ્રિલ સુધી રોજ સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી અને બપોરના ત્રણથી રાતે ૯ વાગ્યા સુધી નવકુંડી હવન અને માતાજીની પરિક્રમા યોજાશે. ચિત્રકૂટના પૂ. આચાર્ય રામકુંડલજી શુક્લની પવિત્ર નિશ્રામાં આયોજનનું આ સતત ૩૦મું વર્ષ છે.