Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખેલૈયાઓ, થઈ જાઓ તૈયાર ઐશ્વર્યા સંગ ગરબા રમવા

ખેલૈયાઓ, થઈ જાઓ તૈયાર ઐશ્વર્યા સંગ ગરબા રમવા

28 September, 2023 11:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઐશ્વર્યા મજમુદાર પહેલી વાર મુંબઈમાં રાસરસિયાઓને ગરબે ઘુમાવવા આવી રહી છે

તસવીર : નિમેશ દવે

Navratri

તસવીર : નિમેશ દવે


નવરાત્રિના હબ ગણાતા બોરીવલીમાં આ વખતે પ્લેબૅક સિંગર તથા ગુજરાત અને વિદેશોમાં નવરાત્રિમાં ધૂમ મચાવનારી ઐશ્વર્યા મજમુદાર પહેલી વાર મુંબઈમાં રાસરસિયાઓને ગરબે ઘુમાવવા આવી રહી છે ત્યારે રંગતાલીના નામે આયોજિત આ નવરાત્રિનું ભૂમિપૂજન ગઈ કાલે રાખવામાં આવ્યું હતું. બોરીવલી (વેસ્ટ)ની ન્યુ એમએચબી કૉલોનીમાં આવેલા અરુણકુમાર વૈદ્ય ગ્રાઉન્ડ (જ્યાં આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે)માં ગઈ કાલે ભૂમિપૂજન વખતે સ્થાનિક સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, આ નવરાત્રિના આયોજક માગાથાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે અને પંકજ કોટેચા, નવરાત્રિના મેઇન સ્પૉન્સર જીએમ મૉડ્યુલરના ડિરેક્ટર વિકી નાગપાલ, બોરીવલીના વિધાનસભ્ય સુનીલ રાણે, દહિસરનાં વિધાનસભ્ય મનીષા ચૌધરી, ડીએફકે ઇવેન્ટ્સના કરણ દોશી સહિતના મહાનુભાવો ઉપ‌સ્થિત રહ્યાં હતાં. ઐશ્વર્યા મજમુદાર અમેરિકામાં હોવાથી હાજર નહોતી રહી શકી. આ વર્ષે ૧૫ ઑક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2023 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK