Navi Mumbai: તુર્ભેમાં બુધવારે બપોરે બની હતી ઘટના, આ દુર્ઘટનામાં મૃતકના વિદ્યાર્થી મિત્રને પણ થઈ ઈજા
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ (Navi Mumbai)ના તુર્ભે (Turbhe)માં આવેલી એક કોલેજમાં એક બહુ અજીબ ઘટના બની છે. એક ૧૭ વર્ષીય વિદ્યાર્થીને તેના કોલેજના છ વિદ્યાર્થીઓએ એટલો માર માર્યો કે તેનું મૃતયુ થઈ ગયું. આ ઘટના બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બુધવારે બપોરે એક વાગ્યાની આસપાસ વિદ્યાર્થીની કોલેજની બહાર બની હતી, જેમાં મૃતક વિદ્યાર્થીનો એક મિત્ર પણ ઘાયલ થયો હતો. આવું વિદ્યાર્થીઓએ શા માટે કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વરિષ્ઠ નિરીક્ષક અજય શિંદેએ જણાવ્યું હતું કે, આરોપીઓએ વિદ્યાર્થીઓને મુક્કા મારીને અને લાત મારી મારીને તેને મારી નાખ્યો હતો અને એટલું જ નહીં તેના મિત્રને પણ માર માર્યો હતો અને ઘાયલ કર્યો હતો. ગુના પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે, આ સંબંધમાં એપીએમસી પોલીસ સ્ટેશન (APMC Police Station)માં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 302 (હત્યા), 326 (ખતરનાક હથિયારો અથવા માધ્યમથી ગંભીર ઈજા પહોંચાડવી), 323 (સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું), 143 (ગેરકાયદેસર એસેમ્બલી), 147 (હુલ્લડો) અને અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
અન્ય એક ઘટનામાં, મહારાષ્ટ્ર (Maharashtra)ના નવી મુંબઈ ટાઉનશીપમાં એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પોલીસે ૬૨ વર્ષીય મહિલાને કથિત રીતે માર મારવા બદલ એક પુરુષ અને તેની પુત્રી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
મહિલા પનવેલ (Panvel)ના ભગતવાડી વિસ્તારમાં રખડતા કૂતરાઓને ખવડાવતી હતી. 11 માર્ચે, જ્યારે તે કૂતરાઓને ખવડાવી રહી હતી, ત્યારે તેમાંથી એક આરોપીના પુત્ર પર ભસ્યો અને તેની તરફ દોડ્યો હતો. માણસે કૂતરા પર સ્લિપર ફેંક્યું, પરંતુ તે મહિલાને વાગ્યું. ખંડેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે તેણીએ તે વ્યક્તિની પૂછપરછ કરી ત્યારે તે ગુસ્સે થયો અને તેણે અને તેની પુત્રીને ખુબ માર માર્યો હતો.
મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી જેણે બુધવારે બે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) અને 504 (શાંતિ ભંગને ઉશ્કેરવાના ઈરાદાથી અપમાન) હેઠળ કેસ નોંધ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન, બે સ્કૂટર પર સવાર વ્યક્તિઓએ મહારાષ્ટ્રના નવી મુંબઈ ટાઉનશિપમાંથી ત્રણ વર્ષની બાળકીનું કથિત રીતે અપહરણ કર્યું હતું, એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું.
સમાચાર એજન્સીએ આપેલા અહેવાલો પ્રમાણે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના મંગળવારે સાંજે લગભગ ચાર વાગ્યે બની હતી, જ્યારે બાળકી વાશી (Vashi) વિસ્તારના કોપરી ગામની એકતા નગર ઝૂંપડપટ્ટીમાં તેના ઘરની બહાર રમી રહી હતી. બે વ્યક્તિઓ એક સ્કૂટર પર ત્યાં પહોંચ્યા, છોકરીને થોડી મીઠાઈઓ આપી અને તેને ટુ-વ્હીલર પર લઈ ગયા. આ માહિતી તેમણે બાળકની માતાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું. બાળકીની માતા મજૂર છે. આ મામલામાં પણ ગુના પાછળનો હેતુ જાણી શકાયો નથી એમ પોલીસે જણાવ્યું છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.