Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આરેમાં ગણપતિ વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું છે કે કેમ એ નૅશનલ પાર્કની કમિટી નક્કી કરે : કોર્ટ

આરેમાં ગણપતિ વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું છે કે કેમ એ નૅશનલ પાર્કની કમિટી નક્કી કરે : કોર્ટ

26 September, 2023 08:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે સંજય ગાંધી નૅશનલ પાર્કની મૉનિટરિંગ કમિટીને આરે કૉલોનીમાં ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું હશે કે કેમ એ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

આરેમાં ગણપતિ વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું છે કે કેમ એ નૅશનલ પાર્કની કમિટી નક્કી કરે

આરેમાં ગણપતિ વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું છે કે કેમ એ નૅશનલ પાર્કની કમિટી નક્કી કરે


મુંબઈ (પી.ટી.આઇ.) : બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે સંજય ગાંધી નૅશનલ પાર્કની મૉનિટરિંગ કમિટીને આરે કૉલોનીમાં ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું હશે કે કેમ એ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 
ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે ‘જો કમિટીને લાગતું હોય કે વધુ કૃત્રિમ તળાવની જરૂર છે તો એ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. સી. જે. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘એક કૃત્રિમ તળાવ પૂરતું હશે કે વધુ અથવા ૬ ટ્રક-માઉન્ટેડ ટૅન્ક જોઈશે કે ૧૦ એ મૉનિટરિંગ કમિટી પર છે. આ પ્રયાસ એટલા માટે છે જેથી કોઈની ધાર્મિક લાગણી ન દુભાય.’
બેન્ચ આરે કૉલોનીનાં તળાવોમાં વિસર્જનની પરવાનગી માગતી વિશ્વ હિન્દુ પરિષદના નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આરે કૉલોનીના સીઈઓએ આ વર્ષે તળાવોમાં વિસર્જનની પરવાનગી નકારી કાઢી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2023 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK