Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી આવતી કાલે ગોરેગામ-મુલુંડના લિન્ક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં ટનલના કામનું ભૂમિપૂજન કરશે

નરેન્દ્ર મોદી આવતી કાલે ગોરેગામ-મુલુંડના લિન્ક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં ટનલના કામનું ભૂમિપૂજન કરશે

12 July, 2024 11:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન આ સમયે બીજા કેટલાક પૂરા થઈ ગયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે મુંબઈની મુલાકાતે આવશે.  ગોરેગામ-ઈસ્ટમાં આવેલા નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં સાંજે પાંચ વાગ્યે આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન મુંબઈનાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ સબર્બ્સને જોડતા ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં બોરીવલી નૅશનલ પાર્કની નીચે બનાવવામાં આવનારી ૪.૭ કિલોમીટર લાંબી ટ્​વિન ટનલના કામનું ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન આ સમયે બીજા કેટલાક પૂરા થઈ ગયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ગઈ કાલે આપવામાં આવેલી માહિતી મુજબ ૬૩૦૧.૦૮ કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે ૧૨.૨૦ કિલોમીટર લંબાઈના ગોરેગામ-મુલુંડ લિન્ક રોડનું કામ ચાલી રહ્યું છે એમાં ૬.૬૫ કિલોમીટરની ટનલનો પણ સમાવેશ થાય છે. બે તબક્કાનું કામ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કામાં આ ટનલનું કામ ભૂમિપૂજન થયા બાદ શરૂ કરવામાં આવશે. ઑક્ટોબર ૨૦૨૮ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ ગોરેગામથી મુલુંડ ૭૫ મિનિટને બદલે માત્ર પચીસ મિનિટમાં પહોંચી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2024 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK