Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શાંતિ પ્રસ્થાપિત થવાથી નાગપુરના બે વિસ્તારમાંથી કરફ્યુ હટાવી લેવાયો

શાંતિ પ્રસ્થાપિત થવાથી નાગપુરના બે વિસ્તારમાંથી કરફ્યુ હટાવી લેવાયો

Published : 21 March, 2025 08:55 AM | Modified : 22 March, 2025 07:17 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મામલામાં ૧૨૬૦ જેટલા લોકોની ઓળખ કરીને રમખાણના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન સહિત ૫૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નાગપુરમાં સોમવારે રમખાણ ફાટી નીકળ્યા બાદ ૧૧ વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. જોકે હિંસક ઘટના બની હતી એ વિસ્તારને બાદ કરતાં નંદનવન અને સ્ટેશન કપિલનગરમાંથી ગઈ કાલે કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. શાંતિનગર, પાચપાવલી, કકડગંજ, સક્કરદરા અને ઇમામવાડામાં બપોરના બેથી સાંજના છ વાગ્યા સુધી કરફ્યુમાં રાહત આપવામાં આવી છે. કોતવાલી તહસીલ અને ગણેશપેઠમાં હિંસક ઘટના બની હતી એટલે અહીં કરફ્યુ કાયમ રાખવામાં આવ્યો છે. સોમવારે મોડી સાંજે મુસ્લિમોના ટોળાએ વાહનોની તોડફોડ કરવાની સાથે આગ ચાંપી હતી જેમાં મોટું નુકસાન થયું હતું. પોલીસે ગઈ કાલ સુધી આ મામલામાં ૧૨૬૦ જેટલા લોકોની ઓળખ કરીને રમખાણના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન સહિત ૫૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2025 07:17 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK