Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાગપુર ​હિંસા પ્રકરણમાં વધુ ૧૪ તોફાનીઓની ધરપકડ

નાગપુર ​હિંસા પ્રકરણમાં વધુ ૧૪ તોફાનીઓની ધરપકડ

Published : 22 March, 2025 02:46 PM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ પર પથ્થરમારો થયો હતો અને મ​હિલા પોલીસ કર્મચારીઓનો વિનયભંગ પણ થયો હતો. એ રમખાણમાં કુલ ૩૩ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાગપુરમાં સોમવારે થયેલી હિંસા અને તોડફોડની ઘટનામાં પોલીસે ગઈ કાલે વધુ ૧૪ આરોપીઓની ધરપકડ કરતાં અત્યાર સુધી આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા ૧૦૫ પર પહોંચી ગઈ છે. જે લોકો પકડાયા છે એમાં ૧૦ સગીર વયના છોકરાઓ છે. આ હિંસાચારની ઘટનાને લઈને વધુ ત્રણ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કવામાં આવ્યા છે.


નાગપુરમાં ૧૭ માર્ચે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે મળીને ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે યોજેલા વિરોધ-પ્રદર્શનમાં કુરાનની આયત લખેલી ચાદર બાળવામાં આવી હોવાની અફવા ફેલાતાં રમખાણ ફાટી નીકળ્યાં હતાં. જેમાં બહુ મોટા પ્રમાણમાં પથ્થરમારો થયો હતો, રસ્તા પર પાર્ક કરાયેલાં વાહનોની તોડફોડ થઈ હતી, લોકોને ઘરમાં ઘૂસીને માર મારવામાં આવ્યા હતા, પોલીસ પર પથ્થરમારો થયો હતો અને મ​હિલા પોલીસ કર્મચારીઓનો વિનયભંગ પણ થયો હતો. એ રમખાણમાં કુલ ૩૩ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2025 02:46 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK