Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટૅન્કરવાળાઓના પાણીબંધ આંદોલનનો નિવેડો હજી નથી આવી રહ્યો

ટૅન્કરવાળાઓના પાણીબંધ આંદોલનનો નિવેડો હજી નથી આવી રહ્યો

Published : 13 April, 2025 12:32 PM | Modified : 14 April, 2025 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે પણ અનેક મુંબઈગરાઓએ પાણી વગર જ ચલાવવું પડે એવી પરિસ્થિતિ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના અનેક વિસ્તારોમાં પ્રાઇવેટ કૂવાઓમાંથી પાણી સીંચીને વૉટર ટૅન્કર દ્વારા એ પાણી દ​િક્ષણ મુંબઈ સહિતના અનેક વિસ્તારોને પૂરું પાડવામાં આવે છે. આ ટૅન્કરના માલિકો સરકાર સામે પડ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી વૉટર ટૅન્કર દ્વારા પાણીની સપ્લાય નથી કરી રહ્યા. તેમના પ્રતિનિધિઓ દ્વારા સરકારી સ્તરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી મડાગાંઠ ઉકેલાઈ ન હોવાથી આજે પણ અનેક મુંબઈગરાઓએ પાણી વગર જ ચલાવવું પડે એવી પરિસ્થિતિ છે.


આ બાબતે માહિતી આપતાં મુંબઈ વૉટર ટૅન્કર અસોસિએશનના જૉઇન્ટ સેક્રેટરી સંદીપ માંઢરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભૂમિગત પાણી મૂળમાં કેન્દ્ર સરકારને હસ્તક હોવાથી ૨૦૧૮માં એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો, જેમાં પ્રાઇવેટ કૂવામાંથી પાણી લેવા માટેના નિયમો નક્કી કર્યા હતા. જોકે એ પછી તરત કોવિડ આવ્યો અને છેલ્લા થોડા વખતથી કેન્દ્ર સરકાર કૂવાના માલિકોને આ માટે નોટિસ મોકલીને કાર્યવાહી કરી રહી છે. અમને જે મુખ્ય સમસ્યા નડે છે એ તેમની કૂવા માટે ૨૦૦૦ સ્ક્વેરફુટની જગ્યા અલાયદી હોવી જોઈએ એ છે. મુંબઈમાં માંડ ટૅન્કર પાર્ક કરવાની જગ્યા હોય ત્યાં ૨૦૦૦ સ્ક્વેરફુટની ઓપન સ્પેસ ક્યાંથી લાવવી? વળી અમારે વર્ષનાં ૧૫ ટૅન્કર માટે એકસાથે અપ્લાય કરવું પડે છે. ઑનલાઇન જ ઍપ્લિકેશન થાય છે. અમે એ માટે અપ્લાય કરીએ, પણ ૨૦૦૦ સ્ક્વેરફુટની જગ્યા ન હોવાથી અમારી ઍપ્લિકેશન હવે સબમિટ જ નથી થઈ શકતી. એ અપ્લાય કરતી વખતે જ રિજેક્ટ થઈ જાય છે. વળી કેન્દ્ર સરકારના આ ખાતાની ઑફિસ દિલ્હીમાં અને નાગપુરમાં જ છે.’



સરકારમાં આ બાબતે રજૂઆત કરાઈ? એમનું શું કહેવું છે? એવા સવાલના જવાબમાં સંદીપ માંઢરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં જ કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ મુંબઈ આવ્યા હતા. તેમને અમે રજૂઆત કરી તો તેમણે કહ્યું કે એ નિયમાવલિના અમલીકરણને પોસ્ટપોન કરી શકાય. વળી તેઓ નિયમો ન પાળ્યા એમ કહીને અમને ૧૫ ટૅન્કરદીઠ પાંચ વર્ષની પેનલ્ટી એકસાથે ભરવા કહે છે. જોકે એમ કરવા છતાં અમારો પ્રશ્ન તો ઊભો ને ઊભો જ રહે છે. મુંબઈમાં ૨૦૦૦ સ્ક્વેરફુટ જગ્યા કઈ રીતે શક્ય છે? એથી હવે આ મડાગાંઠ જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી અમે પાણી સપ્લાય નથી કરવાના.’ 


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK