Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > SSC કરતાં HSCની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની : રાજ્ય સરકારે અદાલતને કહ્યું

SSC કરતાં HSCની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની : રાજ્ય સરકારે અદાલતને કહ્યું

Published : 01 June, 2021 10:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું હતું કે એસએસસી કરતાં એચએચસીની પરીક્ષા વિદ્યાર્થીઓની કરીઅર માટે ખૂબ મહત્ત્વની હોય છે એટલે આ બન્ને બોર્ડની પરીક્ષા વચ્ચે સરખામણી ન કરી શકાય.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે


મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું હતું કે એસએસસી કરતાં એચએચસીની પરીક્ષા વિદ્યાર્થીઓની કરીઅર માટે ખૂબ મહત્ત્વની હોય છે એટલે આ બન્ને બોર્ડની પરીક્ષા વચ્ચે સરખામણી ન કરી શકાય. સરકારે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે કોરોનાવાઇરસની મહામારીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સહિતના લોકોની સલામતી જરૂરી હોવાથી એસએસસીની પરીક્ષા રદ કરવામાં આવી છે. 


રાજ્ય સરકારે ૧૯ એપ્રિલે એસએસસીની પરીક્ષા રદ કરવાના નિર્ણય સામે પ્રોફેસર ધનંજય કુલકર્ણીએ બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી હતી. આ અરજીના જવાબમાં રાજ્યના સ્કૂલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી રાજેન્દ્ર પવારે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. હાઈ કોર્ટે ૨૦ મેએ આ બાબતે રાજ્ય સરકારે એસએસસી પરીક્ષા રદ કરવાના નિર્ણયને શિક્ષણ સિસ્ટમને મજાક બનાવી દીધી હોવાનું કહીને આ મામલે સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ સમયે કોર્ટે શા માટે એચએચસીની પરીક્ષા બાબતે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો એવો સવાલ પણ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2021 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK