Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨,૩૧,૬૦,૦૦૦ રૂપિયા ૨૪૩૨ ગ્રામ સોનું અને ૨૩,૩૫૨ ગ્રામ ચાંદી

૨,૩૧,૬૦,૦૦૦ રૂપિયા ૨૪૩૨ ગ્રામ સોનું અને ૨૩,૩૫૨ ગ્રામ ચાંદી

13 September, 2024 08:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલા ચાર દિવસમાં લાલબાગચા રાજાને ભક્તોએ આપ્યું છે આટલું દાન. એની કુલ કિંમત થાય અધધધ ૩,૬૭,૮૬,૦૫૩ રૂપિયા

લાલબાગચા રાજા

લાલબાગચા રાજા


મુંબઈના સૌથી ફેમસ લાલબાગચા રાજા ગણપતિનાં ચરણોમાં ભક્તો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનાં દર્શન કરવા માટે ચિક્કાર ગિરદી થઈ રહી છે. ગણેશોત્સવના પહેલા ચાર દિવસમાં ભક્તોએ લાલબાગચા રાજાને ૨,૩૧,૬૦,૦૦૦ રૂપિયા કૅશ તો ૧,૩૬,૨૬,૦૫૩ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીના મળીને કુલ ૩,૬૭,૮૬,૦૫૩ રૂપિયાનું દાન ચડાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભક્તોએ બાપ્પાને ૨૪૩૧.૫૨ ગ્રામ સોનાના અને ૨૩,૩૫૨ ગ્રામ ચાંદીના દાગીના અર્પણ કર્યા હોવાનું ચાર દિવસની ગણતરીમાં જણાઈ આવ્યું હતું. ચારેય દિવસ કૅશ અને ચાંદીના દાગીનાના દાનની ઍવરેજ લગભગ સરખી છે, પણ પહેલા ત્રણ દિવસની સરખામણીએ બુધવારે ચોથા દિવસે ૧.૧૬ કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચડાવવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK