Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને મળશે વધુ એક ‘વંદે ભારત’ ટ્રેન

મુંબઈને મળશે વધુ એક ‘વંદે ભારત’ ટ્રેન

25 December, 2023 09:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે મુંબઈ–જાલના વંદે ભારત શરૂ થવાની છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એને લીલી ઝંડી દેખાડવાના છે.

‘વંદે ભારત` ટ્રેન

‘વંદે ભારત` ટ્રેન


મુંબઈ : આલીશાન સવારી, જબરદસ્ત સ્પીડ અને વાજબી ભાડાંને કારણે લાંબા અંતરના પ્રવાસીઓની પસંદગીમાં ખરી ઉતરનાર ‘વંદે ભારત’ની ચાર ટ્રેન મુંબઈથી દોડી રહી છે એમાં ૩૦ ડિસેમ્બરથી વધુ એક મુંબઈ-જાલનાનો વધારો થવાનો છે. ‘વંદે ભારત’ દોડે એ પ્રવાસીઓ માટે સારી વાત છે, પણ એવું જાણવા મળ્યું છે કે આ ટ્રેનને કારણે મુંબઈની લોકલ ટ્રેનોનું ટાઇમ ટેબલ ખોરવાઈ શકે છે અને એથી મુંબઈગરાઓએ હેરાનગતિ અને હાડમારી ભોગવવી પડે એવી શક્યતા છે.


મુંબઈગરાઓએ હેરાનગ​​તિ ભોગવવી પડે એવી શક્યતા



રાજ્યની પહેલી વંદે ભારત ટ્રેન મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડી હતી. એ પછી મુંબઈ-સોલાપુર, મુંબઈ-શિર્ડી, મુંબઈ-ગોવા અને નાગપુર-બિલાસપુર વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. એમાં હવે મુંબઈ–જાલના વંદે ભારત શરૂ થવાની છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એને લીલી ઝંડી દેખાડવાના છે. સેન્ટ્રલ રેલવેમાં મુંબઈ સીએસએમટી-જાલના ટ્રેન શરૂ થશે એ ખરું, પણ એ ટ્રેન માટે ૧૩ અન્ય લાંબા અંતરની ટ્રેનો અને ૭ લોકલ ટ્રેનોના સમયમાં ફેરફાર થવાનો છે. એને કારણે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા મુંબઈગરાઓએ હેરાનગ​​તિ ભોગવવી પડે એવી શક્યતા છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2023 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK