Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Fire: અંધેરીના લોખંડવાલામાં ઈમારતમાં ફાટી નિકળી આગ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

Mumbai Fire: અંધેરીના લોખંડવાલામાં ઈમારતમાં ફાટી નિકળી આગ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

19 February, 2024 03:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Fire: મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં સ્થિત આકાશદીપ નામની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. મુંબઈના અંધેરીમાં ફરી લાગી આગ
  2. લોખંડવાલા વિસ્તારની એક ઈમારતમાં ભભૂકી આગ
  3. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે

Mumbai Fire: મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં સ્થિત આકાશદીપ નામની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી અને આગ (Mumbai Fire) કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. 


ઉલ્લેેખનીય છે કે આજે રાજસ્થાનના દૌસા જિલ્લા (Dausa News)માં રવિવારે મોડી રાત્રે એક કંપાવનારા સમાચાર સામે આવ્યા હતા. અહીં એક જાનૈયાઓથી ભરેલી બસનો ભયંકર અકસ્માત થયો હતો. જિલ્લાના માનપુર વિસ્તારમાં જાનૈયાઓની બસમાં  ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા જાનૈયાઓ પોતાની જાન બચાવવા બસમાંથી છલાંગ લગાવતા જોવા મળ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાથી વિસ્તાર (Dausa News)માં ખળભળાટ મચી ગયો હતો. જાણકારી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની જાણકારી મેળવી હતી.



ગત રોજ એટલે કે રવિવારે પુણેમાં પિંપરી-ચિંચવડના કુડાલ વાડી વિસ્તારમાં ભંગારના વેરહાઉસમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આગએ આખા વેરહાઉસને લપેટમાં લીધું હતું. સમાચાર એજન્સી ANIએ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી. પિંપરી-ચિંચવડ ફાયર વિભાગના અધિકારી વરદ નાલેએ જણાવ્યું હતું કે આગ (Pune Explosion)પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી હજુ મળી નથી.
 
તેમજ આ પહેલા ગોવંડીમાં પણ આગની ઘટના બની હતી. ગોવંડીના બૈંગનવાડી વિસ્તામાં આવેલા આદર્શનગરમાં શનિવારે મધરાત બાદ ૩.૫૫ વાગ્યે ભયાનક આગ ફાટી નીકળી હતી. ભારે જહેમત બાદ સવારે ૮.૫૫ વાગ્યે એના પર કાબૂ મેળવી શકાયો હતો.બીએમસીના જણાવ્યા મુજબ આદર્શનગર રોડ-નંબર ૩ પર આવેલા એક માળનાં ૧૦થી ૧૫ સ્ટ્રક્ચર્સમાં આ આગ લાગી હતી. એક ઘરમાં આગ લાગ્યા બાદ બહુ ઝડપથી અન્ય ઘરોમાં ફેલાઈ હતી. આ આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુઓ, ઘરનો સામાન, કપડાં, ફર્નિચર સાથે ઘરનાં છાપરાં તરીકે નાખવામાં આવેલી ઍક્રિલિક શીટ્સ, પ્લાસ્ટિકની શીટ્સ અને ગૅસનાં સિલિન્ડર બળી ગયાં હતાં. ગૅસનાં સિલિન્ડર ફાટી રહ્યાં હોવાથી ધડાકા થતા હતા

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2024 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK