Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગજબ! રસ્તે રખડતાં ડોગીએ મહિલાને બળાત્કારથી બચાવી, ઘટના CCTVમાં કેદ

ગજબ! રસ્તે રખડતાં ડોગીએ મહિલાને બળાત્કારથી બચાવી, ઘટના CCTVમાં કેદ

Published : 04 July, 2024 02:57 PM | IST | Mumbai
Samiullah Khan

પોલીસના જણાવ્યા અનુસાર, નજીકના એક રખડતા કૂતરાએ આરોપી (Mumbai Crime News) પર ભસવાનું શરૂ કર્યું, જેનાથી હુમલાખોર ચોંકી ગયો અને તેણે તેની પકડ ગુમાવી દીધી

તસવીર: મિડ-ડે

તસવીર: મિડ-ડે


વસઈની તુંગારેશ્વર ગલીમાં 30 જૂનના રોજ લગભગ 1.30 વાગ્યે, 32 વર્ષીય એકાઉન્ટન્ટ યુવતીને બળાત્કાર કરવાની ધમકી (Mumbai Crime News) આપતો એક શખ્સ રખડતા કૂતરાના ભસવાના કારણે ભાગી ગયો હતો. કથિત હુમલાખોર, 35 વર્ષીય સંદીપ ખોટ, જે લગભગ સાત ફૂટ ઊંચો છે, અંધારાનો લાભ લઈને પાછળથી મહિલા પાસે આવ્યો, તેણીને જમીન પર ધક્કો માર્યો હતો અને તેણી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.


જો કે, પોલીસના જણાવ્યા અનુસાર, નજીકના એક રખડતા કૂતરાએ આરોપી (Mumbai Crime News) પર ભસવાનું શરૂ કર્યું, જેનાથી હુમલાખોર ચોંકી ગયો અને તેણે તેની પકડ ગુમાવી દીધી. તકનો લાભ લઈ મહિલા હુમલાખોરને દૂર ધક્કો મારીને મુખ્ય માર્ગ તરફ ભાગી હતી. જોકે આરોપી તેનો આઈફોન લઈને ભાગી ગયો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તે ઘટનાની રાત્રે છેલ્લી ટ્રેન દ્વારા મુંબઈથી વસઈ સ્ટેશને પહોંચી હતી.



પોલીસ (Mumbai Crime News)ને આપેલા નિવેદનમાં તેણીએ કહ્યું કે, "જ્યારે હું તુંગારેશ્વર ગલીમાંથી ઝાયગોટ આઈવીએફ સેન્ટર પર પહોંચી, ત્યારે 25થી 30 વર્ષની વયનો એક શખ્સ મારી પાછળ આવવા લાગ્યો. અચાનક તે મારી સામે આવ્યો અને કહ્યું કે, તે મારા પર બળાત્કાર ગુજારવાનો છે. મને ચીસો પાડવાથી રોકવા માટે તેણે મારા મોં પર હાથ મૂકવાનો પ્રયાસ કર્યો અને પેન્ટમાં હાથ નાખી અશ્લીલ હરકતો કરવા લાગ્યો.” ફરિયાદીના નિવેદન મુજબ, કાલી ગલીમાં ક્યાંકથી એક રખડતું કૂતરું આવ્યું અને ભસવા લાગ્યું. ફરિયાદી યુવતીએ નિવેદનમાં ઉમેર્યું કે, “તેણે તેની પકડ ગુમાવી દીધી. પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને, મેં તે માણસને લાત મારી, જે પછી તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું. પછી તેણે મારો આઇફોન છીનવી લીધો અને મને ફરીથી પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં તેને દૂર ધકેલી દીધો અને તે પાસે પહોંચે તે પહેલાં હું ગુરુદ્વારા રોડ તરફ ભાગી ગઈ.”


માનિકપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “તુંગારેશ્વર સ્ટ્રીટ મુખ્ય માર્ગનો શોર્ટકટ છે. મોડી રાત્રે આ વિસ્તાર ખૂબ જ નિર્જન હતો. અમે ભારતીય દંડ સંહિતાની કલમ 392, 354, 354 (D) અને 506 હેઠળ કેસ નોંધ્યો છે [કેસ BNS લાગુ થયા પહેલા નોંધવામાં આવ્યો હતો] અને અન્યની આગેવાની હેઠળની એક ટીમે કબજે કરેલા ફૂટેજની તપાસ શરૂ કરી છે. એક દુકાનમાંથી સીસીટીવી કૅમેરાની ફૂટેજ મળી છે, પરંતુ અંધકારને કારણે ચોક્કસ કંઈ મળી શક્યું નહીં. આખરે, અમે ઘટનાના 24 કલાકની અંદર આરોપીને શોધી કાઢ્યો છે.”

ઉલ્લેખનીય છે કે, પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2024 02:57 PM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK