Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગરમીને લીધે લાગેલી આગમાં 35 વેહિકલ થઈ ગયાં ખાખ?

ગરમીને લીધે લાગેલી આગમાં 35 વેહિકલ થઈ ગયાં ખાખ?

Published : 15 March, 2021 08:55 AM | IST | Mumbai

ગરમીને લીધે લાગેલી આગમાં 35 વેહિકલ થઈ ગયાં ખાખ?

આગમાં ખાખ થયેલા વાહનો

આગમાં ખાખ થયેલા વાહનો


વસઈના વાલિવ પોલીસ-સ્ટેશનની સામે રવિવારે બપોરે લાગેલી આગમાં ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર મળીને ૩૫ જપ્ત કરેલાં વાહનોનો નાશ થયો હતો. આગની જ્વાળાઓને કાબૂમાં લેવા માટે વસઈ-વિરાર મહાનગરપાલિકાના ફાયર-બ્રિગેડ વિભાગના જવાનોને બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ વાહનોને વાલિવ પોલીસે વિવિધ ગુનાહિત કેસમાં કબજે કર્યાં હતાં. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું એક ફાયરમૅને જણાવ્યું હતું. આસપાસમાં ઊગેલા સૂકા ઘાસમાં ઉનાળાની ગરમીને કારણે આગ લાગી હોવાથી વાહનો એની ચપેટમાં આવી ગયા હોવાની શક્યતા છે. વાલિવ પોલીસે કહ્યું હતું કે આ બાબતે વધુ તપાસ ચાલી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2021 08:55 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub