Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai:થાણે અને ઘાટકોપર બાદ વિલે પાર્લેમાં ઈમારત ધરાશાયી, બે લોકોના મોત બે ઘાયલ

Mumbai:થાણે અને ઘાટકોપર બાદ વિલે પાર્લેમાં ઈમારત ધરાશાયી, બે લોકોના મોત બે ઘાયલ

25 June, 2023 08:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ(Mumbai)ના વિલે પાર્લે(Vile Parle)ગામથાણ વિસ્તારમાં નાણાવટી હોસ્પિટલ નજીક સેન્ટ બ્રાઝ રોડ પર ગ્રાઉન્ડ-પ્લસ-ટુ-બે માળની ઈમારતનો ગ્રાઉન્ડ અને પહેલો માળ તૂટી પડ્યો હતો. 

ઘાટકોપર ધરાશાયી સ્થળ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તસવીર/સતેજ શિંદે

ઘાટકોપર ધરાશાયી સ્થળ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તસવીર/સતેજ શિંદે


રવિવારે બપોરે મુંબઈ(Mumbai)ના વિલે પાર્લે(Vile Parle)વિસ્તારમાં ગ્રાઉન્ડ-પ્લસ-ટુ સ્ટ્રક્ચરના ભાગો તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયાં હતાં. આ જાણકારી અધિકારીઓએ આપી છે. એક સત્તાવાર નિવેદનમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું કે રવિવારે માહિતી પ્રાપ્ત થઈ હતી કે મુંબઈ(Mumbai)ના વિલે પાર્લે(Vile Parle)ગામથાણ વિસ્તારમાં નાણાવટી હોસ્પિટલ નજીક સેન્ટ બ્રાઝ રોડ પર ગ્રાઉન્ડ-પ્લસ-ટુ-બે માળની ઈમારતનો ગ્રાઉન્ડ અને પહેલો માળ તૂટી પડ્યો હતો. 


ઘટનાની માહિતી મળ્યા બાદ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને નાગરિક અધિકારીઓ બચાવ અને રાહત કામગીરી માટે સ્થળ પર દોડી ગયા હતા.બે ફાયર એન્જિન, એક રિસ્પોન્સ વ્હીકલ, 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને વોર્ડ સ્ટાફ ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયો હતો. નાગરિક સંસ્થાના જણાવ્યા અનુસાર, કૂપર હોસ્પિટલથી મળેલી માહિતી મુજબ, આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, અને તેમની ઓળખ પ્રશિલા મિસૌતા (65) અને રોબી મિસૌતા (70) તરીકે થઈ છે. હોસ્પિટલમાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. .



આ ઘટનામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે.


વિલે પાર્લે સિવાય ઘાટકોપર અને થાણેમાં પણ આજે દુર્ઘટના બની હતી. રવિવારે અન્ય એક ઘટનામાં ઘાટકોપર વિસ્તારમાં ગ્રાઉન્ડ-પ્લસ-ત્રણ માળની રહેણાંક ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો, ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, બિલ્ડિંગના ત્રીજા માળેથી બે લોકોને બચાવી લેવાયા હતા.
તેમણે કહ્યું કે બે વ્યક્તિ હજુ પણ બિલ્ડિંગના પહેલા માળે ફસાયેલા છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉપનગરીય ઘાટકોપરમાં રાજાવાડી કોલોનીના ચિત્તરંજન નગરમાં સ્થિત ઈમારતનો એક ભાગ સવારે 9.33 વાગ્યે ધરાશાયી થયો હતો. એલર્ટ થયા બાદ ફાયર બ્રિગેડ, પોલીસ, નાગરિક કર્મચારીઓ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બે લોકોને બચાવી લેવાયા હતા. તેમાંથી એક 30 વર્ષીય વ્યક્તિએ હોસ્પિટલમાં જવાનો ઇનકાર કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
 
ભારે વરસાદને કારણે આજે ત્રણ જગ્યાએ આવી ઘટનાઓ ઘટી છે. થાણેમાં એક હોટલની છત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane)ના ડિઝાસ્ટર કંટ્રોલ સેલના વડા યાસિન તડવીએ પીટીઆઈને જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે મોડી રાત્રે ઘોડબંદર રોડ પર સ્થિત રેસ્ટોરન્ટમાં બની હતી. આ ઘટનામાં બે મહિલાઓ અને એક પુરૂષને ઈજા થઈ હતી અને તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.


 

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2023 08:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK