Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આગરામાં તૈયાર થનારું શિવાજી મહારાજનું સ્મારક તાજમહલ કરતાં વધારે લોકો જોવા ન આવે તો મારું નામ બદલી નાખજો

આગરામાં તૈયાર થનારું શિવાજી મહારાજનું સ્મારક તાજમહલ કરતાં વધારે લોકો જોવા ન આવે તો મારું નામ બદલી નાખજો

Published : 21 February, 2025 07:50 AM | Modified : 22 February, 2025 07:21 AM | IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગરામાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે હિન્દવી સ્વરાજના સ્થાપકનું ભવ્ય-દિવ્ય સ્મારક બનાવવાની કરી જાહેરાત

બુધવારે આગરા ફોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ અને વિકી કૌશલ.

બુધવારે આગરા ફોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ અને વિકી કૌશલ.


આગરામાં છત્રપતિ શિવાજી મહારાજને જે જગ્યાએ કેદમાં રાખવામાં આવ્યા હતા એ જગ્યાએ તેમનું સ્મારક બનાવવાની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાત્રે આગરામાં કરી હતી. તેઓ છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે રાખવામાં આવેલા કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે ઍક્ટર વિકી કૌશલ પણ હાજર હતો.


દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આગરામાં છત્રપતિ શિવાજી મહારાજનું એક ભવ્ય-દિવ્ય સ્મારક બનશે. હું યોગીજીને પ્રાર્થના કરું છું કે તમે અમને એની પરવાનગી આપો. મહારાષ્ટ્ર સરકાર જમીન ખરીદવા તૈયાર છે. હું કસમ ખાઈને કહું છું કે એક વાર આ સ્મારક બન્યા બાદ તાજમહલ કરતાં વધારે લોકો એને જોવા ન આવે તો મારું નામ બદલી નાખજો.’ શિવાજી મહારાજને જ્યાં રાખવામાં આવ્યા હતા એ આગરા કોઠી અત્યારે મીના બાઝારના નામે જાણીતી છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2025 07:21 AM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK