Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવરાત્રિમાં મેટ્રોએ રંગ રાખ્યો

નવરાત્રિમાં મેટ્રોએ રંગ રાખ્યો

Published : 09 October, 2024 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જ દિવસમાં મેટ્રો 2A અને 7માં ૨,૯૨,૫૭૫ લોકોએ કર્યો પ્રવાસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હાલ નવરાત્રિ ચાલી રહી છે અને ખાસ કરીને બોરીવલીથી મલાડ દરમ્યાન મોટી નવરાત્રિઓનું આયોજન થયું છે ત્યારે પાર્કિંગની અને ટ્રાફિક જૅમની સમસ્યાથી બચવા મુંબઈગરાએ મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો છે અને એનો સીધો ફાયદો મેટ્રો 2A અને 7ને થયો છે. મેટ્રોએ પણ એની સર્વિસિસ મોડે સુધી ચાલુ રાખી હતી. એથી આરામદાયક મુસાફરી કરવા મળે અને ઝડપથી પહોંચી શકાય એવા મેટ્રોના ઑપ્શનને લોકોએ વધાવી લેતાં સોમવારે એક જ દિવસમાં એણે અત્યાર સુધીના સૌથી વધુ ૨,૯૨,૫૭૫ પ્રવાસીનો આંકડો ટચ કર્યો છે. એથી મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડે મેટ્રોમાં પ્રવાસ કરનારા મુંબઈગરાઓનો આભાર માન્યો છે. અંધેરી (વેસ્ટ)-ડી. એન. નગરથી દહિસર દોડતી મેટ્રો2A યલો લાઇન અને દહિસરથી અંધેરી (ઈસ્ટ)-ગુંદવલી દોડતી મેટ્રો 7 રેડ લાઇન રૂટમાં એક જ દિવસમાં ૨,૯૨,૫૭૫ લોકોએ પ્રવાસ કરતાં આ મેટ્રોએ મુંબઈગરાનો આભાર માન્યો છે. સાથે જ એણે મુંબઈગરાને ઉદ્દેશીને કહ્યું છે કે આરામદાયક અને સુખરૂપ પ્રવાસ કરવા મેટ્રોની પસંદગી કરવા બદલ આપનો આભાર, તમારો પ્રવાસ વધુ આરામદાયક અને સુર​ક્ષ‌િત રહે એ માટે મેટ્રો પ્રતિબદ્ધ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2024 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK