Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેની જાહેરાત: આ મુદ્દે BMC વિરુદ્ધ મોરચો ખોલશે શિવસેના

ઉદ્ધવ ઠાકરેની જાહેરાત: આ મુદ્દે BMC વિરુદ્ધ મોરચો ખોલશે શિવસેના

20 June, 2023 05:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે એ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (Brihanmumbai Municipal Corporation)ના કામકાજમાં જોવા મળતી ગેરરીતિઓ સામે આ પદયાત્રા કાઢવામાં આવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


શિવસેના (UBT) 1 જુલાઈએ બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ની બહાર પદયાત્રા કાઢશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (Brihanmumbai Municipal Corporation)ના કામકાજમાં જોવા મળતી ગેરરીતિઓ સામે આ પદયાત્રા કાઢવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ આક્રમક રીતે કહ્યું કે, શિવસેના-ભાજપ સરકારમાં રાજ્યમાં ચૂંટણીનો સામનો કરવાની હિંમત નથી.


ઉદ્ધવ ઠાકરે (Shiv Sena UBT Will Do March Against BMC) અહીં જ ન અટક્યા અને વધુમાં કહ્યું કે, G20 અને રોડ નિર્માણ જેવી ઘટનાઓના નામે પૈસા વેડફાય છે. તેમણે કહ્યું કે શિવસેનાએ 1997માં બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ની કમાન સંભાળી છે. તે સમયે મહાનગર પાલિકાની આવક ખોટમાં ચાલી રહી હતી, પરંતુ 25 વર્ષમાં તેની ફિક્સ ડિપોઝિટ વધીને 92 હજાર કરોડ થઈ ગઈ હતી.



ઠાકરેએ કહ્યું કે, આ એફડીમાંથી 7000-9000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ઉદ્ધવે કહ્યું કે, “કોઈએ BMCને પ્રશ્નો પૂછવા પડશે કારણ કે તે જનતાના પૈસા છે. શિવસેના (UBT) BMCમાં ગેરરીતિઓ સામે મોરચો કાઢશે. ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને જણાવ્યું કે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે આ મોરચાનું નેતૃત્વ કરશે.


CAG એ અનિયમિતતાઓને ચિહ્નિત કરી

નોંધનીય છે કે, ભારતના કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG)એ BMCમાં વિવિધ કામો માટે રૂા. 12024 કરોડની ગેરરીતિઓને ફ્લેગ કરી હતી. આ પછી સીએમ એકનાથ શિંદેએ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે SITનું નેતૃત્વ મુંબઈ પોલીસ કમિશનર કરશે.


નિવેદન અનુસાર, સીએમ એકનાથ શિંદેએ એસઆઈટીની સ્થાપનાને મંજૂરી આપી છે, જે રાજ્યમાં જ્યારે મહા વિકાસ અઘાડીની સરકાર હતી ત્યારે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાની કથિત અનિયમિતતાઓની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, BMC ભારતની સૌથી ધનિક મહાનગર પાલિકા છે, તે હાલમાં એડમિનિસ્ટ્રેટર હેઠળ છે અને તેના કોર્પોરેટરનો કાર્યકાળ ગયા વર્ષની શરૂઆતમાં સમાપ્ત થયો હતો.

શિવસેનાનો સ્થાપના દિવસ જુદો-જુદો ઉજવાયો

એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ અને ૧૦ અપક્ષ વિધાનસભ્યોએ ગયા વર્ષે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકાર સાથેનો છેડો ફાડ્યો હતો. આ ઘટનાને આવતી કાલે એક વર્ષ થઈ રહ્યું છે. શિવસેનાનાં બે ફાડિયાં થઈ ગયાં છે ત્યારે આજે પક્ષના સ્થાપના દિવસે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શક્તિપ્રદર્શન થશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા ગોરેગામના નેસ્કો કૉમ્પ્લેક્સમાં અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કિંગ્સ સર્કલમાં આવેલા ષણ્મુખાનંદ હૉલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2023 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK