Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બળવા વખતે એકનાથ શિંદેને સાથ આપનારા ત્રણ વિધાનસભ્ય વેઇટિંગ પર

બળવા વખતે એકનાથ શિંદેને સાથ આપનારા ત્રણ વિધાનસભ્ય વેઇટિંગ પર

Published : 24 October, 2024 11:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકનાથ શિંદેએ જવાબદારી લીધી હોવા છતાં ત્રણ વિધાનસભ્યોનાં નામ કેમ પહેલા લિસ્ટમાં જાહેર નથી

 બાલાજી કિણીકર, વિશ્વનાથ ભોઈર, શાંતારામ મોરે

બાલાજી કિણીકર, વિશ્વનાથ ભોઈર, શાંતારામ મોરે


મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ મંગળવારે રાતે વિધાનસભાની ચૂંટણી માટે ૪૫ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. આ યાદીમાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરતી વખતે સાથે રહેનારા મોટા ભાગના વિધાનસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જોકે પહેલી યાદીમાં થાણે જિલ્લાના ત્રણ વિધાનસભ્યનાં નામ ન હોવાથી આ વિધાનસભ્યોને શા માટે વેઇટિંગ પર રાખવામાં આવ્યા છે એની ગઈ કાલે જોરદાર ચર્ચા શરૂ થઈ હતી. શિવસેનાની પહેલી યાદીમાં અંબરનાથના વિધાનસભ્ય બાલાજી કિણીકર, કલ્યાણ-વેસ્ટના વિધાનસભ્ય વિશ્વનાથ ભોઈર અને ભિવંડી ગ્રામીણના વિધાનસભ્ય શાંતારામ મોરેનો સમાવેશ નથી કરવામાં આવ્યો. બળવો કર્યા બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમની સાથેના તમામ વિધાનસભ્યોને ફરીથી ચૂંટાવાની જવાબદારી લઉં છું. એકનાથ શિંદેએ જવાબદારી લીધી હોવા છતાં ત્રણ વિધાનસભ્યોનાં નામ કેમ પહેલા લિસ્ટમાં જાહેર નથી કરવામાં આવ્યાં એવો સવાલ થઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2024 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK