Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરી-ઈસ્ટમાં ઉદ્ધવ ઠાકરે સામેની લડતમાં શિંદેસેના BJPના નેતાને ઉતારી શકે છે

અંધેરી-ઈસ્ટમાં ઉદ્ધવ ઠાકરે સામેની લડતમાં શિંદેસેના BJPના નેતાને ઉતારી શકે છે

Published : 26 October, 2024 07:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાયુતિમાં બેઠકોની અદલાબદલીની સમજૂતીમાં મુરજી પટેલ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈને ચૂંટણી લડે એવી શક્યતા

મુરજી પટેલ

મુરજી પટેલ


અંધેરી-ઈસ્ટની વિધાનસભા બેઠક પર મહા વિકાસ આઘાડી તરફથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ઋતુજા લટકેને ઉમેદવારી આપી દીધી છે, પણ આ બેઠક પર મહાયુતિમાંથી કોણ લડશે એ નક્કી નથી થઈ રહ્યું. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક નેતા મુરજી પટેલ ચૂંટણી લડવા માગે છે, પણ આ બેઠક માટે એકનાથ શિંદે આગ્રહી છે. જોકે એકનાથ શિંદે પાસે અંધેરી-ઈસ્ટમાં કોઈ મજબૂત ઉમેદવાર નથી એટલે BJPના મુરજી પટેલનો પ્રવેશ શિવસેનામાં કરાવીને લડાવવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આવી સમજૂતી થશે તો અંધેરી-ઈસ્ટમાં શિવસેના સામે શિવસેનાની લડાઈ થશે.


સૂત્રોના જણાવ્યા મુજબ મુરજી પટેલ આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળશે અને તેઓ શિવસેનામાં પ્રવેશ કર્યા બાદ અંધેરી-ઈસ્ટ બેઠકના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અંધેરી-ઈસ્ટની બેઠકના એ સમયની અખંડ શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેનું મૃત્યુ થયા બાદ ૨૦૨૨માં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ અહીંની સ્થિતિ બદલાઈ ગઈ હતી એટલે પેટાચૂંટણીમાં રમેશ લટકેની પત્ની ઋતુજા સામે કોઈ ઉમેદવાર નહોતો આપવામાં આવ્યો. મુરજી પટેલે ઉમેદવાર નોંધાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ એ પાછી ખેંચી લેવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK