Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાયુતિની છેવટની પ્રચારસભાઓમાં સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી નહીં હોય

મહાયુતિની છેવટની પ્રચારસભાઓમાં સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી નહીં હોય

Published : 25 October, 2024 11:46 AM | Modified : 25 October, 2024 11:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાનસભાની ચૂંટણીમાં પાંચથી ૧૪ નવેમ્બર દરમ્યાન ૧૦ દિવસમાં વડા પ્રધાનની ૮ સભા યોજવામાં આવી છે, પણ પછી વિદેશની મુલાકાતે જશે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાંચથી ૧૪ નવેમ્બર દરમ્યાન ૮ જાહેર સભાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પ્રચારના અંતિમ તબક્કામાં એટલે કે ૧૫થી ૧૮ નવેમ્બર દરમ્યાન વડા પ્રધાન કોઈ સભા નહીં કરી શકે. ૨૦ નવેમ્બરે મતદાન છે એટલે ૧૮ નવેમ્બરની સાંજે પ્રચારનાં પડઘમ શાંત થઈ જશે. આ સમય દરમ્યાન વડા પ્રધાન વિદેશની મુલાકાતે જવાના છે એટલે તેઓ છેલ્લી ઘડીના પ્રચારમાં મહારાષ્ટ્રમાં નહીં આવી શકે એવું જાણવા મળ્યું હતું. વડા પ્રધાન માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના જ નહીં, મહાયુતિમાં સામેલ પક્ષોના ઉમેદવારો માટે પણ સભાઓ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK