Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહે દિલ્હીમાં મહાયુતિના નેતાઓને આપ્યો કાનમંત્ર નારાજ ઉમેદવારોને કોઈ પણ ભોગે સમજાવી લો

અમિત શાહે દિલ્હીમાં મહાયુતિના નેતાઓને આપ્યો કાનમંત્ર નારાજ ઉમેદવારોને કોઈ પણ ભોગે સમજાવી લો

Published : 25 October, 2024 11:47 AM | Modified : 25 October, 2024 11:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પક્ષમાં મોટા પ્રમાણમાં બળવો થયો હતો એને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું

અમિત શાહ

અમિત શાહ


તાજેતરમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી થઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રીજી વખત સત્તા મેળવી હતી, પરંતુ ઉમેદવારો નકારવામાં આવ્યા બાદ મોટા પ્રમાણમાં બળવો થયો હતો અને તેમણે અપક્ષ ચૂંટણી લડી હતી. આને કારણે BJPના મત તૂટ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને BJPના વરિષ્ઠ નેતા અમિત શાહે મહાયુતિના નેતા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે સાથે ત્રણ કલાક બેઠક કરી હતી. એમાં તેમણે સૂચના આપી હતી કે કોઈ પણ ભોગે નારાજ ઉમેદવારોને મનાવી લો, મતોનું વિભાજન રોકો અને મહાયુતિનો જ ચૂંટણીમાં વિજય થાય એ માટેના પ્રયાસ કરો. 


અમિત શાહ સાથેની બેઠકમાં BJP અને શિવસેના એમની અત્યારની કેટલીક બેઠકોની અદલાબદલી કરવા ઉપરાંત અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને પણ કેટલીક બેઠક આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હજી પણ સાતથી આઠ બેઠકનું કોકડું ઉકેલાયું નથી એટલે મહાયુતિના વરિષ્ઠ નેતાઓની આજે મુંબઈમાં બેઠક થશે અને એ પછી જ બાકીની બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK