Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રની નદીઓના ગુજરાતમાં વહેતા પાણીને રોકીને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાશે : ફડણવીસ

મહારાષ્ટ્રની નદીઓના ગુજરાતમાં વહેતા પાણીને રોકીને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાશે : ફડણવીસ

11 September, 2024 11:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યારે મહારાષ્ટ્રની નદીઓમાંથી પાણી ગુજરાતમાં વહી જાય છે એ રોકી શકાશે

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મહારાષ્ટ્રના નાશિક અને નંદુરબાર સહિતના ગુજરાતી બૉર્ડર પરના જિલ્લાઓમાં આવેલી નદીઓમાં ચોમાસામાં પૂર આવે છે જેને લીધે ગુજરાતના વલસાડથી લઈને સુરત સુધીના ભાગોમાં પાણી ફરી વળવાની સમસ્યા ઊભી થાય છે. જોકે થોડાં વર્ષ બાદ આ સમસ્યામાં ઘટાડો થશે એ વિશે ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધુળેની સભામાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારની મદદથી નાશિક, નંદુરબાર અને આસપાસના જિલ્લામાંથી વહેતી નદીઓ પર ડૅમ બાંધવાની યોજના બનાવી છે. આથી અત્યારે મહારાષ્ટ્રની નદીઓમાંથી પાણી ગુજરાતમાં વહી જાય છે એ રોકી શકાશે. આ યોજનાનો ફાયદો બન્ને રાજ્યોને થશે. એક, ગુજરાતમાં પૂરની સમસ્યામાં રાહત મળશે અને બે, ડૅમમાં એકત્રિત થયેલા પાણીનો ઉપયોગ મહારાષ્ટ્રમાં સિંચાઈ માટે કરી શકાશે. આથી ધુળે જિલ્લામાં દુષ્કાળ નહીં થાય. આ યોજનાથી ધુળે જિલ્લાનાં ૫૪ ગામની ખેતીને સિંચાઈની સુવિધા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2024 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK