Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોનાવલામાં આજે અને કાલે ટાઇગર અને લાયન્સ પૉઇન્ટ પર જવા નહીં મળે

લોનાવલામાં આજે અને કાલે ટાઇગર અને લાયન્સ પૉઇન્ટ પર જવા નહીં મળે

Published : 31 December, 2024 01:07 PM | Modified : 31 December, 2024 01:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બે એવી જગ્યા છે જ્યાં ટૂરિસ્ટો આખી રાત એન્જૉય કરતા હોય છે અને એને લીધે દુર્ઘટના થવાની શક્યતાઓ પણ વધી જતી હોવાથી પોલીસે સલામતીના કારણોસર આ નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું

લોનાવલા સ્ટેશન

લોનાવલા સ્ટેશન


થર્ટીફર્સ્ટ મનાવવા મોટી સંખ્યામાં લોકો હિલસ્ટેશન પર ગયા હોવાથી ત્યાં જબરદસ્ત ગિરદી જોવા મળી રહી છે ત્યારે લોનાવલામાં પોલીસે આજની રાત ટાઇગર અને લાયન્સ પૉઇન્ટ પર ટૂરિસ્ટોના જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. લોનાવલામાં અત્યારે સહેલાણીઓનો ભરાવો છે. એમાં પણ આજે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલથી મોટી સંખ્યામાં લોકો થર્ટીફર્સ્ટ મનાવવા જાય એવી શક્યતા હોવાથી લોનાવલા પોલીસ કોઈ ચાન્સ લેવા નથી માગતી. આજે જનારા લોકો હોટેલનું બુકિંગ ન હોવાથી મોટા ભાગે આ બે પૉઇન્ટ પર જ એન્જૉય કરીને પાછા આવતા હોય છે.


આ બે એવી જગ્યા છે જ્યાં ટૂરિસ્ટો આખી રાત એન્જૉય કરતા હોય છે અને એને લીધે દુર્ઘટના થવાની શક્યતાઓ પણ વધી જતી હોવાથી પોલીસે સલામતીના કારણોસર આ નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું. આવતી કાલ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.



માથેરાન અને મહાબળેશ્વરમાં પણ પ્રવાસીઓ ઊમટી પડ્યા છે. માથેરાનમાં તો પોલીસે જેનું બુકિંગ હોય તેમને જ આવવાની અપીલ કરી છે, જ્યારે મહાબળેશ્વરમાં મોટા ભાગની હોટેલ વીક-એન્ડથી જ પૅક થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2024 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK