સવારે તેઓ મુંબઈ આવ્યા હતા અને વોટિંગ કરીને બપોરે ફરી બસમાં ગામમાં જવા નીકળી ગયા હતા.
૬૦ લોકો કચ્છથી મુંબઈ મતદાન કરવા આવ્યા હતા અને પાછા બસ દ્વારા કચ્છ જતા રહ્યા હતા.
મુંબઈમાં રહેતા કચ્છ કડવા પાટીદાર પટેલોએ વતનમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનાં ૫૦ વર્ષ પૂરાં થવાના હોવાથી મહોત્સવનું આયોજન કર્યું છે. એની તૈયારી કરવા મુંબઈથી ૬૦થી વધુ લોકો ૧૦ મેએ ગામમાં પહોંચ્યા હતા. જોકે મતદાન કરીને ફરજ નિભાવવી હોવાથી બસ અને કાર લઈને ગઈ કાલે સવારે તેઓ મુંબઈ આવ્યા હતા અને વોટિંગ કરીને બપોરે ફરી બસમાં ગામમાં જવા નીકળી ગયા હતા.