Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગેરકાયદે બાંધકામોની ખિલાફ કાર્યવાહી ન કરનારા KDMCના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા

ગેરકાયદે બાંધકામોની ખિલાફ કાર્યવાહી ન કરનારા KDMCના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા

Published : 27 February, 2025 10:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે વૉર્ડ-ઑફિસર સંદીપ રોકડેએ કમિશનરના આદેશ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરી હોવાથી સોમવારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની હદમાં આવેલાં ૫૭ ગેરકાયદે બિલ્ડિંગોને તોડી પાડવાનો કોર્ટે આદેશ આપ્યા બાદ આ બિલ્ડિંગમાં રહેનારાઓ બેઘર ન થાય એ માટે સરકાર ઍક્ટિવ થવાની સાથે મુખ્ય પ્રધાને પણ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનરને ગેરકાયદે ઇમારતોનું લિસ્ટ તૈયાર કરીને એની ખિલાફ ઍક્શન લેવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને ધ્યાનમાં રાખીને ત્યાંનાં કમિશનર ડૉ. ઇન્દુ રાણી જાખડે ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી જેમાં તેમને ટિટવાલામાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ જોવા મળ્યું હતું. તેમણે ગેરકાયદે ઊભી થઈ ગયેલી આ ચાલીઓને તોડી પાડવાનો આદેશ સ્થાનિક વૉર્ડ-ઑફિસરને આપ્યો હતો. જોકે વૉર્ડ-ઑફિસર સંદીપ રોકડેએ કમિશનરના આદેશ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરી હોવાથી સોમવારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


કમિશનરે પહેલાં ‘એ’ વૉર્ડના અસિસ્ટન્ટ-કમિશનર સંદીપ રોકડેને ટ્રાન્સફર કર્યા હતા અને તેમની જગ્યાએ પ્રમોદ પાટીલ નામના અધિકારીને મૂકવામાં આવ્યા હતા. તેમણે ૬૦૦ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યાં હતાં. સોમવારે સંદીપ રોકડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2025 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK