Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જેટ ઍરવેઝના સ્થાપક નરેશ ગોયલ બૅન્ક ફ્રૉડ કેસમાં ઈડીની કસ્ટડીમાં

જેટ ઍરવેઝના સ્થાપક નરેશ ગોયલ બૅન્ક ફ્રૉડ કેસમાં ઈડીની કસ્ટડીમાં

03 September, 2023 11:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્કની ફરિયાદ હતી કે જેટ ઍરવેઝે ૮૪૮.૮૬ કરોડ રૂપિયાની લોન લઈને ક્રેડિટ લિમિટ વટાવી હતી

તસવીર :  અતુલ કાંબળે

તસવીર :  અતુલ કાંબળે


કૅનેરા બૅન્કની ફરિયાદના આધારે ૫૩૮ કરોડ રૂપિયાના બૅન્ક ફ્રૉડમાં પીએમએલએ કોર્ટે જેટ ઍરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને ૧૧ સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. કેન્દ્રની એજન્સીએ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ શુક્રવારે સવાલોના લાંબા સેશન બાદ નરેશ ગોયલની ધરપકડ કરી હતી. સીબીઆઇએ આ મની લૉન્ડરિંગ કેસ જેટ ઍરવેઝના નરેશ ગોયલ, તેમની પત્ની અને અન્ય એક્ઝિક્યુટિવ વિરુદ્ધ એફઆઇઆર પરથી દાખલ કર્યો હતો. બૅન્કની ફરિયાદ હતી કે જેટ ઍરવેઝે ૮૪૮.૮૬ કરોડ રૂપિયાની લોન લઈને ક્રેડિટ લિમિટ વટાવી હતી, જેમાંથી ૫૩૮.૬૨ કરોડ રૂપિયા બાકી નીકળતા હતા. આના આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. જેટ ઍરવેઝે એની પેટા-કંપનીને ફન્ડ ડાઇવર્ટ કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2023 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK