સોમવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ સાધ્વીજી સાથે વાતચીત કરતા બેઠા હતા ત્યારે ઉપરાઉપરી ત્રણ હિચકી આવી અને ત્યાં જ ઢળી પડ્યા
સોમવારે સવારે પત્ની જયશ્રીબહેન સાથે કલ્પસૂત્ર ઘરે લઈ જઈ રહેલા જયંતીલાલ સાવલા.
કચ્છમાં ચાતુર્માસ કરવા ગયેલા મુલુંડના ઇલેક્ટ્રૉનિક આઇટમોના કચ્છી વેપારી જયંતીલાલ સાવલાનું નાની તુંબડી ગામમાં તેમનાં ભત્રીજી મહારાજસાહેબના સાંનિધ્યમાં ઉપાશ્રયમાં જ મૃત્યુ થતાં કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં શોક ફેલાઈ ગયો હતો. ૬૮ વર્ષના જયંતીલાલ સાવલા તુંબડી તેમનાં ભત્રીજી મહારાજસાહેબને ચાતુર્માસ કરાવવા ગયા હતા.