Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મારા પર વિશ્વાસ ન કરો, મારું કંઈ નક્કી નહીં

મારા પર વિશ્વાસ ન કરો, મારું કંઈ નક્કી નહીં

Published : 13 March, 2025 11:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શરદ પવારની પાર્ટીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે કહ્યું...

જયંત પાટિલ

જયંત પાટિલ


તેમની BJPમાં જોડાવાની ચર્ચા છે ત્યારે આ નિવેદનથી અટકળોનું બજાર થયું ગરમ


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની મુલાકાત કરી હતી. આથી જયંત પાટીલ ગમે ત્યારે BJPમાં જોડાવાની ચર્ચા છે ત્યારે ગઈ કાલે તેમના એક નિવેદનથી અટકળ તેજ થઈ હતી. શક્તિપીઠ મહામાર્ગ વિરોધી કૃતિ સમિતિ દ્વારા સાંગલી અને કોલ્હાપુરના ખેડૂતોએ ગઈ કાલે મુંબઈના આઝાદ મેદાનમાં મોરચો કાઢ્યો હતો. આ સમયે આયોજિત સભામાં જયંત પાટીલે કહ્યું હતું કે ‘ચૂંટણીમાં આપણો કારમો પરાજય થયો છે એટલે અમારું બોલવાનું પણ ધીમે-ધીમે ઓછું થઈ ગયું છે અને બોલીએ છીએ એ કેટલાક લોકોને સમજાતું નથી. ગંભીર પ્રશ્નોને બદલે મીડિયા અને સોશ્યલ મીડિયામાં બીજી જ નકામી બાબતો લોકો પર થોપવામાં આવી રહી છે. મારા પર વિશ્વાસ ન કરો, મારું કંઈ નક્કી નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK