Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરેગામની પત્રા ચાલના કૌભાંડ કેસની સાક્ષી મહિલાએ EDને લખેલા પત્રમાં કહ્યું...

ગોરેગામની પત્રા ચાલના કૌભાંડ કેસની સાક્ષી મહિલાએ EDને લખેલા પત્રમાં કહ્યું...

02 September, 2024 08:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય રાઉતે બળાત્કાર કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી

સંજય રાઉત

સંજય રાઉત


ગોરેગામની પત્રા ચાલના કૌભાંડ પ્રકરણમાં ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તેઓ જામીન પર છે. આ મામલાનાં સાક્ષી ડૉ. સ્વપ્ના પાટકરે સંજય રાઉત પર ગંભીર આરોપ મૂકતો પત્ર આ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના ઍડિશનલ ડિરેક્ટરને લખ્યો છે. ડૉ. સ્વપ્ના પાટકરે પત્રમાં લખ્યું છે કે ‘આરોપી સંજય રાઉત અને તેમના ગુંડાઓ સતત મને ધમકાવી રહ્યા છે. હું ‌નિવેદન નહીં બદલું તો મારા પર બળાત્કાર કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ કેસના બીજા સાક્ષીઓને પણ આવી જ રીતે ધમકાવવામાં આવે એવી શક્યતા છે. મને મારું નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.’


ડૉ. સ્વપ્ના પાટીલે દાવો કર્યો છે કે તેણે ૨૦૧૬થી ૨૦૨૧ દરમ્યાન અનેક ઈ-મેઇલ કરી હતી, જેનો જવાબ નહોતો આપવામાં આવ્યો એટલે ઉદ્ધવ ઠાકરેને પણ આ વિશે પત્ર લખ્યો હતો. એનો પણ જવાબ નથી મળ્યો. ઉલ્લેખનીય છે કે ગોરેગામની પત્રા ચાલના રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આરોપ થયા બાદ સંજય રાઉત સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ અત્યારે ED કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK