Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણેશોત્સવના છેલ્લા સાત દિવસ મેટ્રો અડધો કલાક વધુ દોડશે

ગણેશોત્સવના છેલ્લા સાત દિવસ મેટ્રો અડધો કલાક વધુ દોડશે

06 September, 2024 09:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સુવિધા ૧૧ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન મળશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈના લાડકા ગણપતિબાપ્પાનું આવતી કાલે આગમન થવાનું છે ત્યારે પહેલા બે-ત્રણ દિવસ મોટા ભાગે લોકો ઘરના કે નજીકના સગાના ગણપતિમાં રોકાયેલા હોય છે. એ પછી તેઓ મુંબઈના અલગ-અલગ જાણીતા ગણપતિનાં દર્શન કરવા પરિવાર અને મિત્રો સાથે નીકળતા હોય છે. તેમને આવવા-જવામાં સરળતા રહે એ માટે મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ દ્વારા મેટ્રોની સર્વિસ જે પહેલાં ૧૧ વાગ્યા સુધી હતી એ લંબાવીને ૧૧.૩૦ વાગ્યા સુધી કરવામાં આવી છે. આ સુવિધા ૧૧ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન મળશે.


અંધેરી-ઈસ્ટના ગુંદવલીથી અંધેરી-વેસ્ટમાં ડી. એન. નગર જવા માટે ગુંદવલીથી છેલ્લી ટ્રેન ૧૧ વાગ્યાની હશે, જ્યારે ગુંદવલીથી દહિસર માટે ૧૧.૧૫ અને ૧૧.૩૦ વાગ્યે ટ્રેન મળશે.



એ જ પ્રમાણે અંધેરી-વેસ્ટના ડી. એન. નગરથી ગુંદવલી માટે છેલ્લી ટ્રેન ૧૧ વાગ્યાની હશે અને દહિસર માટેની છેલ્લી બે ટ્રેન ૧૧.૧૫ અને ૧૧.૩૦ વાગ્યાની રહેશે.


દહિસરથી અંધેરી-વેસ્ટ જવા માટે છેલ્લી ટ્રેન ૧૧.૩૩ વાગ્યે અને ગુંદવલી માટે છેલ્લી ટ્રેન ૧૧.૩૬ વાગ્યે મળશે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2024 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK