Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાગપુરના પરિવારે સામૂહિક આત્મહત્યા કેમ કરી?

નાગપુરના પરિવારે સામૂહિક આત્મહત્યા કેમ કરી?

Published : 03 October, 2024 08:59 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિ-પત્ની અને બે પુત્રના મૃતદેહ મળી આવતાં મચ્યો ખળભળાટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નાગપુરના નરખેડ તાલુકામાં આવેલા મોવાડ ગામમાં ગઈ કાલે એક જ પરિવારના ચાર વ્યક્તિના મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. પોલીસે જણાવ્યા મુજબ મોવાડ ગામના એક ઘરમાંથી ૬૮ વર્ષના વિજય પચોરી, તેમનાં ૫૫ વર્ષનાં પત્ની માલાબાઈ, ૩૮ વર્ષના પુત્ર દીપક અને ૩૬ વર્ષના બીજા પુત્ર ગણેશના મૃતદેહ મળી આવ્યા હતા. કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ-ટીમ ફૉરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ચારેચાર મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યા હતા. એક જ ઘરમાંથી ચાર જણના એકસાથે મૃતદેહ મળવાથી ગામના લોકોની સાથે પોલીસ પણ ચોંકી ઊઠી હતી. આ સામૂહિક આત્મહત્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જોકે આ મામલાની તપાસ કરાયા બાદ જ આ પગલું ભરવાનું સાચું કારણ જાણી શકાશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2024 08:59 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK