Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી પછી બીએમસી આખા મુંબઈ શહેરમાં કરાવશે ડાયાબિટીઝની તપાસ

દિવાળી પછી બીએમસી આખા મુંબઈ શહેરમાં કરાવશે ડાયાબિટીઝની તપાસ

13 November, 2023 04:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Diwali 2023 Health Initiative: બીએમસી સાર્વજનિક સ્વાસ્થ્ય વિબાગ 20 નવેમ્બરના રોજ આખા શહેરમાં વિભિન્ન સ્થળે ડાયાબિટીઝની તપાસ શરૂ કરવા પર વિચાર કરી રહી છે.

ડાયાબિટીઝ ટેસ્ટની પ્રતીકાત્મક તસવીર

Diwali 2023

ડાયાબિટીઝ ટેસ્ટની પ્રતીકાત્મક તસવીર


Diwali 2023 Health Initiative: બીએમસી સાર્વજનિક સ્વાસ્થ્ય વિબાગ 20 નવેમ્બરના રોજ આખા શહેરમાં વિભિન્ન સ્થળે ડાયાબિટીઝની તપાસ શરૂ કરવા પર વિચાર કરી રહી છે.


Diwali 2023 Health Initiative: બીએમસી મુંબઈમાં દિવાળી પછી મધુપ્રમેહને લઈને એક મહત્ત્વનું પગલું લેવા જઈ રહી છે. બીએમસી દિવાળી પછી આખા શહેરમાં મધુમેહની તપાસને લઈને અભિયાન ચલાવવા જઈ રહી છે. કાર્યકારી સ્વાસ્થ્ય અધિકારી ડૉ. દક્ષા શાહ પ્રમાણે, મધુમેહ એક એવી સ્થિતિ છે જેનાથી ઘણા લોકો અજાણ્યા છે, જેથી અનેક મુશ્કેલીઓ થઈ શકે છે. ડૉ. શાહે કહ્યું કે નાગરિક સંગઠન આ મુદ્દાને સંબોધિત કરવા માટે દિવાળી સમારોહની તરત પછી આખા મુંબઈમાં સ્ક્રીનિંગ કાર્યશાળાઓની ગોઠવણ કરશે.



Diwali 2023 Health Initiative: તેમણે આગળ જણાવ્યું કે મૉલ અને ટ્રેન સ્ટેશનો જેવા સૌથી વધારે પ્રવાસી સ્થળોને સ્ક્રીનિંગ માટે બીએમસી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. તેમના પ્રમાણે, અધિકારી સ્વાસ્થ્ય વિભાગના ડૉક્ટર્સ અને અન્ય ચિકિત્સા કર્મચારીઓ દ્વારા નિયુક્સ સ્વાસ્થ્ય ડેસ્ક બનાવશે. એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે આ બધા માટે ચિંતાનો વિષય છે, કારણકે બિન-સંચારી રોગ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સિવાય બ્લડ પ્રેશર, હાર્ટ અટેક અને કેન્સર જેવા સાઈલેન્ટ કિલર પણ રહેલા છે. ડાયાબિટીઝના પરીક્ષણથી બીએમસીને આ સ્થિતિમાંથી પીડિત વ્યક્તિઓને સટીક સંખ્યા નિર્ધારિત કરવામાં મદદ મળશે.


Diwali 2023 Health Initiative: તાજેતરમાં જ બીએમસી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઘરોનું એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં, તેમણે વ્યક્તિગત મીટિંગ (ચરણ 1), પાયાગત શારીરિક ટેસ્ટ્સ (ચરણ 2), અને જૈવ રસાયણિક વિશ્લેષણ માટે યૂરિન અને બ્લડ સેમ્પલના કલેક્શન (ચરણ 3)ના માધ્યમે જોખમકારકો પર ડેટા એકઠો કરવામાં આવ્યો. સર્વેક્ષણથી ખબર પડી કે 18 ટકા ઉત્તરદાતાઓમાં ફાસ્ટિંગ બ્લડ ગ્લુકૉઝનું લેવલ 126 મિલીગ્રામ/ડેસીલીટર (સામાન્યઃ 70-99)થી વધારે હતું.

ઉલ્લેખનીય છે કે બીએમસી દ્વારા પ્રદૂષણને કાબૂમાં લેવા માટેના પ્રયાસ હાથ ધરવાની સાથે બુધવારે અને ગુરુવારે મુંબઈ સહિત આસપાસના ભાગમાં કમોસમી વરસાદ થયો હતો એટલે હવાની ક્વૉલિટીમાં સુધારો થયો હતો. આથી મુંબઈગરાઓએ રાહત અનુભવી હતી. જોકે ગઈ કાલે ફરી પ્રદૂષણમાં વધારો થવાને કારણે હવાની ક્વૉલિટી ખરાબ થઈ હતી. દિવાળીના બે જ દિવસ બાકી છે ત્યારે ફટાકડા ફોડવામાં આવશે એટલે પ્રદૂષણમાં વધારો થઈ શકે છે. આથી શ્વાસની બીમારી હોય એવા લોકોની મુશ્કેલી વધી શકે છે.


બુધવારે અને ગુરુવારે વરસાદ થવાને લીધે શુક્રવારે મુંબઈની હવા ખરાબ હતી એમાં થોડો સુધારો થયો હતો. ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૧૦૦ની અંદર આવી જતાં પ્રદૂષણથી થોડી રાહત મળી હતી. જોકે ગઈ કાલે સવારના મુંબઈના અનેક વિસ્તારોમાં ૧૨૫થી ૧૫૦ની વચ્ચે એક્યુઆઇ નોંધાયો હતો, જે ખરાબ કહી શકાય. સવારના દસેક વાગ્યા સુધી એક્યુઆઇ ખરાબ રહ્યો હતો. બપોર બાદ એમાં સહેજ સુધારો થયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2023 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK