ફોર્ટમાં બોરાબજાર વિસ્તારમાં રુસ્તમ સિધવા માર્ગ પર શ્રી શાંતિનાથ શ્વેતામ્બર જૈન દેરાસર આવેલું છે
શાંતિનાથ દેરાસર
ફોર્ટમાં બોરાબજાર વિસ્તારમાં રુસ્તમ સિધવા માર્ગ પર શ્રી શાંતિનાથ શ્વેતામ્બર જૈન દેરાસર આવેલું છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે બોરાબજારના રુસ્તમ સિધવા માર્ગનું નામ બદલીને શાંતિનાથ દેરાસર માર્ગ કરવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. શ્વેતામ્બર જૈનો માટે શાંતિનાથ દેરાસર પવિત્ર ધાર્મિક સ્થળ છે એટલે રહેવાસીઓ અહીંના રસ્તાનું નામ બદલવાની માગણી લાંબા સમયથી કરી રહ્યા છે એને ધ્યાનમાં લઈને સ્પીકર રાહુલ નાર્વેકરે મુખ્ય પ્રધાન સમક્ષ બોરાબજારના રસ્તાનું નામ શાંતિનાથ દેરાસર માર્ગ વહેલી તકે કરવાનો નિર્ણય લેવા કહ્યું છે.