Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કર્જતમાં નદીના કિનારા પરથી મળ્યા પતિ, પ્રેગ્નન્ટ પત્ની અને પુત્રના મૃતદેહ

કર્જતમાં નદીના કિનારા પરથી મળ્યા પતિ, પ્રેગ્નન્ટ પત્ની અને પુત્રના મૃતદેહ

09 September, 2024 11:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામૂહિક રીતે આત્મહત્યા કરી છે કે કોઈકે તેમને મારીને ફેંકી દીધા છે એ જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.

ગુજરાતી પરિવારના ત્રણ લોકોની હત્યા

ગુજરાતી પરિવારના ત્રણ લોકોની હત્યા


મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના વાડામાં ગુજરાતી પરિવારના ત્રણ લોકોની હત્યાનો મામલો તાજો છે ત્યાં ગઈ કાલે રાયગડ જિલ્લાના કર્જતમાં નદીકિનારેથી એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ગણેશોત્સવમાં જ આ બનાવની જાણ થતાં આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ હત્યા છે કે આત્મહત્યા એવો સવાલ પણ લોકોના મનમાં ઊભો થયો છે. રાયગડના નેરળ પોલીસના જણાવ્યા મુજબ કર્જત પાસેના ચિકનપાડામાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારનાં પતિ, પત્ની અને પુત્રના મૃતદેહો નદીના કાંઠેથી ગઈ કાલે સવારના મળી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારી મહિલા પ્રેગ્નન્ટ હતી. ત્રણેયના મૃતેદહ અહીંની કલમ નામની નદીના કિનારે પડેલા સ્થાનિક લોકોએ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. જીવ ગુમાવનારાઓની ઓળખ નથી થઈ એટલે તેમની માહિતી નેરળ પોલીસ મેળવી રહી છે. તેમણે સામૂહિક રીતે આત્મહત્યા કરી છે કે કોઈકે તેમને મારીને ફેંકી દીધા છે એ જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2024 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK