Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણપતિબાપ્પાની મૂર્તિ ઇકો-ફ્રેન્ડલી છે કે પીઓપીની એ જાહેર કરવા એના પર કલરથી માર્કિંગ કરવાને લઈને થયો વિવાદ

ગણપતિબાપ્પાની મૂર્તિ ઇકો-ફ્રેન્ડલી છે કે પીઓપીની એ જાહેર કરવા એના પર કલરથી માર્કિંગ કરવાને લઈને થયો વિવાદ

12 September, 2023 07:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગણેશોત્સવ દરમ્યાન પ્રદૂષણ વિભાગ તરફથી ઇકો-ફ્રેન્ડ્લી અને પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ ઓળખી શકાય એ માટે મૂર્તિ પર સિક્કા મારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મલાડમાં  ઇકો-ફ્રેન્ડલી મૂર્તિને ગ્રીન માર્ક કરી રહેલી એક મૂર્તિકાર.    નિમેશ દવે

મલાડમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિને ગ્રીન માર્ક કરી રહેલી એક મૂર્તિકાર. નિમેશ દવે



મુંબઈઃ ગણેશોત્સવ દરમ્યાન પ્રદૂષણ વિભાગ તરફથી ઇકો-ફ્રેન્ડ્લી અને પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ ઓળખી શકાય એ માટે મૂર્તિ પર સિક્કા મારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ પર ગ્રીન સિક્કા મારવામાં આવી રહ્યા છે, જ્યારે પીઓપીમાંથી બનાવેલી મૂર્તિ પર રેડ સિક્કા મારવામાં આવી રહ્યા છે. જોકે મુંબઈના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ નિર્ણયનો વિરોધ કરીને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ ચહલને ગણેશોત્સવ આસ્થાનો વિષય હોવાથી ગણેશની મૂર્તિ પર કોઈ પણ પ્રકારના સિક્કા કે રંગનાં માર્કિંગ ન કરવામાં આવે એવો નિર્દેશ આપ્યો હતો.  
આ બાબતની માહિતી આપતાં બીજેપીના મુંબઈના અગ્રણી નેતા ભાલચંદ્ર શિરસાટે કહ્યુ હતું કે ‘મુંબઈમાં ગણેશોત્સવ અતિ મહત્ત્વનો છે. આ આસ્થાનો તહેવાર છે. દરેક ભાવિકો ગણેશની મૂર્તિને પવિત્ર માનીને એની મનપૂર્વક પૂજા કરે છે. એટલે આ ઉત્સવમાં કોઈની પણ શ્રદ્ધાને ઠેશ લાગે નહીં એના પર ધ્યાન રાખવું જરૂરી છે. આથી મૂર્તિ પર કોઈ પણ પ્રકારનું નિશાન લગાડવું એ લાખો હિન્દુઓની ભાવનાનું દિલ દુભાવવા સમાન છે. આથી પર્યાવરણ વિભાગે મૂર્તિનો ફરક સમજવા માટે કોઈ અન્ય વિકલ્પ શોધવાની જરૂર છે. આ માટે પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કમિશનર ઇકબાલ ચહલ સાથે વાત કરી હતી.’
બીએમસીના આદેશને લીધે મોટા ભાગના મૂર્તિકારોએ મૂર્તિ પર સિક્કા મારવાના શરૂ કરી દીધા હોવાથી એ બાબતે ધ્યાન જતાં બીજેપીએ એનો વિરોધ કર્યો છે. આ વિરોધને પગલે 
ગઈ કાલે જ પોતાના આદેશને રદ 
કરતી જાહેરાત બીએમસીએ કરી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે ‘અમે સમિતીના સભ્યો સાથે મીટિંગ કરીને તેમને મૂર્તિ પર આ પ્રકારના સિક્કા મારવાની કોઈ જરૂર ન હોવાનું કહ્યું હતું. તમામ મૂર્તિકારો પર આ નવી ગાઇડલાઇન્સ બંધનકર્તા રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2023 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK