Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જરૂર પડશે તો મુંબઈમાં કરાશે કૃત્રિમ વરસાદ : શિંદે

જરૂર પડશે તો મુંબઈમાં કરાશે કૃત્રિમ વરસાદ : શિંદે

22 November, 2023 11:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાને ગઈ કાલે સવારે ધૂળ અને હવાના પ્રદૂષણને ઘટાડવાનાં પગલાંઓ વિશે મેળવી માહિતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


શહેરમાં ધૂળ અને હવાના પ્રદૂષણને ઘટાડવા માટે લેવામાં આવેલાં પગલાંઓની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિવિધ સ્થળોની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી તેમ જ જરૂર પડે તો સુધરાઈને કૃત્રિમ વરસાદ કરાવવા માટે પણ જણાવ્યું હતું. સુધરાઈએ દુબઈની એક કંપનીનો સંપર્ક કર્યો છે જે ક્લાઉડ-સીડિંગમાં ૧૦૦ ટકા ચોકસાઈ ધરાવે છે. એની સાથે એમઓયુ પણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાને બાંદરાના જૉગર્સ પાર્કમાં ધૂળ અને હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે લેવામાં આવેલાં પગલાંઓ જાતે જ જોયાં હતાં. તેમણે કલાનગર, મિલન સબવે, જુહુ અને સાંતાક્રુઝ માટે રસ્તા અને ફુટપાથની સફાઈનાં કામોની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે સુધરાઈના કમિશનરને ૧,૦૦૦ ટૅન્કર ભાડે લઈને શહેરના રસ્તાઓ ધોવા જણાવાયું છે અને જો રસ્તાઓને ધોવામાં આવે તો ધૂળનું પ્રમાણ ઘટી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2023 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK