Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હોટેલિયરોને હેરાન નહીં કરાય: મુખ્ય પ્રધાનની બાંયધરી

હોટેલિયરોને હેરાન નહીં કરાય: મુખ્ય પ્રધાનની બાંયધરી

11 July, 2024 08:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાને હોટેલિયરોને ખોટી રીતે હેરાન ન કરવાની સૂચના સંબંધિતોને આપવાનું આશ્વાસન આપ્યું હતું એમ દુર્ગાપ્રસાદ સાલિયને કહ્યું હતું.

એકનાથ શિંદે

એકનાથ શિંદે


મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં ગેરકાયદે હોટેલ, પબ અને બાર, ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ અને હુક્કાપાર્લર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા બાદ રાજ્યભરમાં મોટા પ્રમાણમાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. જોકે સ્થાનિક પ્રશાસન દ્વારા હોટેલો પર પણ અયોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવતી હોવાની ફરિયાદ ગઈ કાલે ફેડરેશન ઑફ મહારાષ્ટ્ર હોટેલ્સ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશનના પ્રેસિડન્ટ વિરાર શંકર શેટ્ટી અને સેક્રેટરી દુર્ગાપ્રસાદ સાલિયન સહિતના પ્રતિનિધિમંડળે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરની મુલાકાત દરમ્યાન કરી હતી. મુખ્ય પ્રધાને હોટેલિયરોને ખોટી રીતે હેરાન ન કરવાની સૂચના સંબંધિતોને આપવાનું આશ્વાસન આપ્યું હતું એમ દુર્ગાપ્રસાદ સાલિયને કહ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK