Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોલ્હાપુર આવી ગયા છે છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ

કોલ્હાપુર આવી ગયા છે છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ

19 July, 2024 12:40 PM IST | Kolhapur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમે આ વાઘનખ મહારાષ્ટ્ર સરકારને આપ્યા છે.

છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ

લાઇફમસાલા

છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ


છત્રપતિ શિવાજી મહારાજે ઉપયોગમાં લીધેલા વાઘનખ સાતારામાં લોકોને જોવા મળશે. લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમે આ વાઘનખ મહારાષ્ટ્ર સરકારને આપ્યા છે. લંડનથી આ વાઘનખ મુંબઈ બુલેટપ્રૂફ કવરમાં લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ એને કોલ્હાપુર લઈ જવાયા હતા. શનિવારથી એ છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. આજે ‘શિવશસ્ત્ર સૌંદર્ય’ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. શિવાજી મહારાજે જેટલાં હથિયારનો ઉપયોગ કર્યો હતો એ દેખાડવામાં આવશે જેમાં ‘વાઘનખ’ મુખ્ય ઍટ્રૅક્શન હશે. અફઝલ ખાનને મારવા માટે શિવાજી મહારાજે આ વાઘનખનો ઉપયોગ કર્યો હતો. જોકે એ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલું જ શસ્ત્ર છે કે નહીં એને લઈને પણ સવાલ ઊઠી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2024 12:40 PM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK