Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યુવતીના કેસની શ્રમ અને રોજગાર મંત્રાલયે શરૂ કરી તપાસ

યુવતીના કેસની શ્રમ અને રોજગાર મંત્રાલયે શરૂ કરી તપાસ

20 September, 2024 03:15 PM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટોચની મલ્ટિનૅશનલ કંપનીમાં કામના વધુ પડતા બોજને લીધે મૃત્યુ પામનારી યુવતીના કેસની શ્રમ અને રોજગાર મંત્રાલયે શરૂ કરી તપાસ

ઍના સે‌બસ્ટિયન પેરયિલ

ઍના સે‌બસ્ટિયન પેરયિલ


દેશની જાણીતી મલ્ટિનૅશનલ કંપની અર્ન્સ્ટ ઍન્ડ યંગ (E&Y)માં પુણેમાં કામ કરતી ૨૬ વર્ષની ઍના સે‌બસ્ટિયન પેરયિલ નામની યુવતીનું કામના વધુ પડતા બોજને લીધે મૃત્યુ થયું હોવાનો આરોપ તેની મમ્મીએ કર્યા બાદ સરકારે પણ આ ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે.


૨૬ વર્ષની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને હજી ચાર મહિના જ થયા હતા આ કંપનીને જૉઇન કરીને. જોકે તેને રોજ મોડી રાત સુધી કામ કરવું પડતું હતું તેમ જ રજા પણ ન મળતી હોવાનો આરોપ તેની મમ્મીએ કંપનીના ચૅરમૅનને લખેલા લેટરમાં કર્યો છે.



કેન્દ્રમાં શ્રમ અને રોજગાર ખાતાનાં રાજ્યપ્રધાન શોભા કરંદલાજેએ આ ઘટનાના સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે ‘ઍના સે‌બસ્ટિયન પેરયિલના નિધનથી બહું જ દુઃખ થયું છે. અસુરક્ષિત અને શોષણાત્મક વર્ક એનવાયર્નમેન્ટના આરોપની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમે ન્યાય અપાવવા પ્રતિબદ્ધ છીએ અને શ્રમ મંત્રાલયે સત્તાવાર રીતે આ ફરિયાદની નોંધ લીધી છે.’


E&Yએ આ ઘટનાના સંદર્ભમાં કહ્યું હતું કે ‘અમે ઍનાના પરિવારના સંપર્કમાં છીએ. અમે અમારા બધા કર્મચારીઓની હેલ્થને સૌથી વધુ મહત્ત્વ આપીએ છીએ અને આપતા રહીશું. ભારતમાં એક લાખ લોકો E&Yમાં કામ કરે છે. ’


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2024 03:15 PM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK