Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સમૃદ્ધિ એક્સપ્રેસવે પર થયેલા ગમખ્વાર બસ-અકસ્માતના ડ્રાઇવરે દારૂ પીધો હતો

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર થયેલા ગમખ્વાર બસ-અકસ્માતના ડ્રાઇવરે દારૂ પીધો હતો

08 July, 2023 12:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અકસ્માત બાદ ડ્રાઇવર દાનિશની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ ધરપકડ કરાઈ હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બુલઢાણા જિલ્લામાં પહેલી જુલાઈએ થયેલા બસ-અકસ્માતમાં ૨૫ મુસાફરોનાં મોત થયાં હતાં. એ કેસની તપાસમાં હવે એવું બહાર આવ્યું છે કે એ બસ ચલાવનાર ડ્રાઇવર દાનિશ શેખ એ વખતે દારૂની અસર હેઠળ હતો. એ અકસ્માતમાં ડ્રાઇવર, ક્લીનર અને અન્ય પ્રવાસીઓ મળીને કુલ આઠ જણ બચી ગયા હતા. અકસ્માત બાદ ડ્રાઇવર દાનિશની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ ધરપકડ કરાઈ હતી.


એક પોલીસ અધિકારીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીએ એના અહેવાલમાં કહ્યું છે કે ડ્રાઇવરનાં જે બ્લડ-સૅમ્પલ લીધાં હતાં એમાં .૩૦ ટકા આલ્કોહૉલ હોવાનું જણાઈ આવ્યું છે. જોકે એ બ્લડ-સૅમ્પલ અકસ્માતના ૧૨થી ૧૩ કલાક બાદ લીધા હોવાથી એની માત્રા અકસ્માતના સમયે વધુ હોય એવું બની શકે છે.’



એ અકસ્માતમાં બચી ગયેલા પ્રવાસીઓનું કહેવું હતું કે પહેલાં બસ ઇલેક્ટ્રિકના થાંભલા સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ ડિવાઇડર સાથે અથડાઈ હતી. એ પછી એ લેફ્ટ સાઇડમાં રોડ પર પટકાઈ હતી, જેને કારણે દરવાજો નીચેની તરફ જતો રહ્યો હોવાથી પ્રવાસીઓ બસમાંથી બહાર નહોતા આવી શક્યા. કેટલાક પ્રવાસીઓ બારીના કાચ તોડીને બહાર આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2023 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK