Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણ-ડોમ્બિવલીમાં રાજ્ય સરકારની જમીન પરથી કેટલાં અતિક્રમણ હટાવ્યાં? : હાઈ કોર્ટ

કલ્યાણ-ડોમ્બિવલીમાં રાજ્ય સરકારની જમીન પરથી કેટલાં અતિક્રમણ હટાવ્યાં? : હાઈ કોર્ટ

07 August, 2024 01:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરે કહ્યું હતું કે...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્ય સરકારની જમીન પર કલ્યાણ-ડો​મ્બિવલીમાં ગેરકાયદે ઊભાં કરી દેવાયેલાં સ્ટ્રક્ચર્સ બાબતે ૨૦૨૦માં બૉમ્બે હાઈ કોર્ટમાં નોંધાયેલી જનહિતની એક અરજીની સુનાવણી ચાલી રહી છે. એ સુનાવણી અંતર્ગત તહસીલદારે ઍફિડેવિટ દાખલ કરીને કોર્ટને જણાવ્યું હતું કે ૧૧૮ હેક્ટર સરકારી જમીન પર અતિક્રમણ થયાં છે અને એ દૂર કરવા તેઓ પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. 
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરે કહ્યું હતું કે ‘ઍફિડેવિટમાં તમે માત્ર એટલું કહ્યું છે કે સરકારી જમીન પર અતિક્રમણ થયાં છે અને એ હટાવવા તમે પ્રયાસ કરી રહ્યા છો. ૨૦૨૦થી એ હટાવવા તમે શું પ્રયાસ કર્યા એ તો જણાવ્યું જ નથી. કેટલા વિસ્તારમાંથી અતિક્રમણ તમે હટાવ્યાં અને એ માટે કેટલાં અતિક્રમણ તોડી પાડ્યાં એની વિગતો આવતાં બે અઠવાડિયાંમાં ઍફિડેવિટ નોંધાવીને જણાવો.’


કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જણાવાયું છે કે તેમણે આઠ ગેરકાયદે બિલ્ડિંગ શોધી કાઢ્યાં છે અને એ હટાવવા એમની સામે કાર્યવાહી ચાલુ કરી છે.   


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2024 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK