Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિવાદિત પોલીસ ઑફિસર સચિન વાઝેને ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જામીન

વિવાદિત પોલીસ ઑફિસર સચિન વાઝેને ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જામીન

Published : 23 October, 2024 10:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મે મહિનામાં પણ તેમણે જામીનઅરજી કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી

સચિન વાઝે

સચિન વાઝે


ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં આવેલા નિવાસસ્થાન ઍન્ટિલિયા પાસે એક્સપ્લોઝિવ રાખવાના કેસ અને મનસુખ હિરણ હત્યાકેસ તેમ જ એ પછી અનિલ દેશમુખને સંડોવતા ૧૦૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા વિવાદિત અને હાલ સસ્પેન્ડ કરી દેવાયેલા પોલીસ ઑફિસર સચિન વાઝે છેલ્લાં બે વર્ષથી જેલમાં છે. હવે ભ્રષ્ટાચારના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.


ભ્રષ્ટાચારના કેસમાં સંડાવાયેલા અનિલ દેશમુખ અને અન્ય આરોપીઓને કોર્ટે પહેલાં જ જામીન આપી દીધા હતા, પણ સચિન વાઝેને જામીન આપવામાં આવ્યા નહોતા. આ જ કેસમાં CBI કોર્ટે સચિન વાઝેને ગયા વર્ષે જ જામીન મંજૂર કર્યા હતા, પણ તેમની સામે બે કેસ પેન્ડિંગ હોવાથી એ વખતે જામીન નકારવામાં આવ્યા હતા. એથી તેમનો જેલવાસ લંબાઈ ગયો હતો. મે મહિનામાં પણ તેમણે જામીનઅરજી કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી. હવે તેમની જામીનઅરજી મંજૂર કરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2024 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK