મુંબઈગરાઓને વિનંતી છે કે પાણી સાચવીને વાપર
તારળી ડૅમ પાસેની પાઇપલાઇનના વાલ્વનું ગઈ કાલે રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું હતું
મુંબઈને પાણીપુરવઠો કરતા વૈતરણાની ૯૦૦ મિલીમીટર ડાયામીટરની પાઇપલાઇનના થાણે જિલ્લામાં આવેલા તારળી ડૅમ ખાતેના વાલ્વમાં ગઈ કાલે લીકેજ થવા માંડ્યું હતું એથી પાણીપુરવઠા વિભાગે ગઈ કાલે આ વાલ્વનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા માટે પાણીની સપ્લાયને આંશિક રીતે બંધ કરી દીધી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની માહિતી મુજબ આ પાઇપલાઇનના ખરાબ થયેલા વાલ્વને બદલવામાં ૪૮ કલાક લાગી શકે છે એથી આજે અને આવતી કાલે મુંબઈભરમાં પાંચથી ૧૦ ટકા પાણી ઓછું આવશે, પરિણામે મુંબઈગરાઓને વિનંતી છે કે પાણી સાચવીને વાપરવું.