Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય ઠાકરે કોસ્ટલ રોડને અડીને આવેલી ૧૮૦ એકર જમીન કયા બિલ્ડરને આપવાના હતા એની તપાસ કરો : આશિષ શેલાર

આદિત્ય ઠાકરે કોસ્ટલ રોડને અડીને આવેલી ૧૮૦ એકર જમીન કયા બિલ્ડરને આપવાના હતા એની તપાસ કરો : આશિષ શેલાર

28 June, 2024 03:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPના મુંબઈ અધ્યક્ષ અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય આશિષ શેલારે વ્યક્ત કરીને આ મામલાની તપાસ કરવાની માગણી મુખ્ય પ્રધાનને કરી છે

આશિષ શેલાર

આશિષ શેલાર


મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડ નવેસરથી બનાવવાથી ૩૦૦ એકર જમીન પ્રાપ્ત થઈ છે. અહીં કોઈ પણ બાંધકામ ન કરવાની શરતે કેન્દ્રીય પર્યાવરણ વિભાગે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આમ છતાં મહારાષ્ટ્રના તત્કાલીન પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ આ જમીન બિલ્ડરોને સોંપવાનો પ્લાન બનાવ્યો હોવાની શંકા ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય આશિષ શેલારે વ્યક્ત કરીને આ મામલાની તપાસ કરવાની માગણી મુખ્ય પ્રધાનને કરી છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘મહાલક્ષ્મી રેસકોર્સની ૧૨૦ એકર જમીનમાં સેન્ટ્રલ પાર્ક બનાવવામાં આવશે જેનાથી મુંબઈના પર્યાવરણ અને સૌંદર્યમાં વધારો થશે. આ સાથે સમુદ્રમાં ભરતી કરીને બનાવવામાં આવેલા કોસ્ટલ રોડને અડીને આવેલી ૧૮૦ એકર જમીનમાં પણ વૃક્ષારોપણ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ ૧૮૦ એકર જમીન મહારાષ્ટ્રના તત્કાલીન પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ બિલ્ડરોને સોંપવાનો પ્લાન કર્યો હોવાની શંકા છે. આ જમીનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરવાની લેખિત જવાબદારી તેમણે કેન્દ્રના પર્યાવરણ વિભાગને આપવાની હતી, પરંતુ એ આપવામાં નથી આવી. આથી આ બાબતની તપાસ કરવાની માગણી મુખ્ય પ્રધાનને કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2024 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK